સુશાંતસિંહ રાજપૂત મામલે અવાજ ઉઠાવવાથી લઈને શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉત અને ગૃહમંત્રી અનિલ દેશમુખે કંગના રનૌતને મહારાષ્ટ્ર ન આવવા ચેતવણી આપી હતી. જેને પગલે હિમાચલના સીએમ એ તેને સુરક્ષા આપવાની વાત કરી છે.
અભિનેત્રી કંગના રનૌતની સુરક્ષામાં વધારો
હિમાચલ પ્રદેશ સરકારે આપી વધારાની સુરક્ષા
કંગનાને પુરતી સુરક્ષા આપવામાં આવશેઃ જયરામ ઠાકુર
શિવસેનાના નેતાઓ દ્વારા ચેતવણી આપાઈ હતી . જે અંગે કંગના રનૌતના પિતા અને બહેને હિમાચલ પ્રદેશ સરકારને ફરિયાદ કરી છે. તેમને કંગનાને સુરક્ષા આપવા માટે અપીલ કરી છે.
કંગનાના પરિવારજનોની અપીલ પર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કંપનાને સુરક્ષા આપવાનું આશ્વાસન આપ્યું છે. CM જયરામ ઠાકુરે કહ્યું કે કંગના રનૌતના પિતા સાથે ફોન પર વાત થઈ છે. સરકાર કંગના રનૌતને સુરક્ષા આપશે.
9 સપ્ટેમ્બરે કંગના રનૌત મુંબઈ જવાના છે. કંગનાએ બોલીવુડમાં માફિયારાજ, નેપોટિઝમ અને ડ્રગ્સ મુદ્દે ખુલીને પોતાની વાત મુકી છે. જેના કારણે સેલિબ્રિટી અને કેટલીક રાજકીય પાર્ટીઓના નિશાને આવી ગઈ છે. સંજય રાઉત સાથે કંગના વચ્ચેનું વાક યુદ્ધ હવે ગરમાઈ રહ્યું છે. જેને પગલે તેના જીવને જોખમ હોવાનું મનાઈ રહ્યું છે.