ભાજપના દિગ્ગજ સાંસદ વરુણ ગાંધીએ ખેડૂતોના સમર્થનમાં યુપી સીએમ યોગી આદિત્યનાથને પત્ર લખીને કેટલીક માગ કરી છે.
વરુણ ગાંધીએ યુપી સીએમ યોગી આદિત્યનાથને લખ્યો બે પાનાનો પત્ર
પત્રમાં વરુણ ગાંધીએ ખેડૂતોના પક્ષમાં રાખી માગ
વરુણ ગાંધીએ જણાવ્યું ખેડૂતોને શેરડીની બાકી રકમની કરો ચેતવણી
મિલો સુધી શેરડી પહોંચાડવા, અનાજ અને ઘઉંની ખરીદી માટે કેન્દ્ર વધારવાની માગ કરી
ભાજપના દિગ્ગજ સાંસદ વરુણ ગાંધીએ ખેડૂતોના સમર્થનમાં યુપી સીએમ યોગી આદિત્યનાથને પત્ર લખીને કેટલીક માગ કરી છે.
પિલિભિતના ભાજપ સાંસદ વરુણ ગાંધીએ યોગીને લખેલા પત્રમાં જણાવ્યું કે શેરડીનો ખર્ચ ઘણો વધઈ ગયો છે જ્યારે શેરડીના રેટમાં ફક્ત દશ રુપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો થયો છે. સરકારે પાછળની સરકારોની તુલનામાં ઘણા ભાવ ચુકવ્યા છે પરંતુ ખેડૂતોનું આ વખતનું ચુકવણું બાકી છે. તેમણે માગ કરી કે શેરડીની એમએસપી વધારીને 400 રુપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવે અને ખેડૂતોની બાકી રકમ સત્વરે ચુકવી દેવામાં આવશે.
किसानों की बुनियादी समस्याओं को इंगित करता मेरा पत्र उत्तर प्रदेश के माननीय मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी के नाम, उम्मीद है कि भूमिपुत्रों की बात ज़रूर सुनी जाएगी; pic.twitter.com/4rw8AduP0y
મિલો સુધી શેરડી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે
વરુણ ગાંધીએ જણાવ્યું કે ખેડૂતો મિલો સુધી શેરડી પહોંચાડી શકતા નથી તેથી ખેડૂતોને ઘાણી પર શેરડી ઓછા ભાવે વેચવાની ફરજ પડે છે. ખેડૂતો મિલો સુધી શેરડી પહોંચાડી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તે ઉપરાંત ખેડૂતોને સસ્તું બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ પણ મળવી જોઈએ.
ધાન અને ઘઉની ખરીદી માટે સેન્ટરો શરુ કરવામાં આવે
વરુણ ગાંધીએ ખેડૂતોને પૂરી એમએસપી આપવાની પણ માગ ઉઠાવી. તેમણે કહ્યું કે સરકારે આગામી સિઝનનો ધાન અને ઘઉંની ખરીદી કરીને પૂરતી સંખ્યામાં સેન્ટરોની વ્યવસ્થા કરે. તે ઉપરાંત ઘઉં અને ધાનની સરકારી ખરીદ પર 200 રુપિયા ક્વિન્ટલથી બોનશ પણ આપવામાં આવે.
રખડતા ઢોરથી ખેડૂતો પરેશાન, વ્યવસ્થા કરવામાં આવે
વરુણ ગાંધીએ રખડતા પ્રાણીઓની પણ વ્યવસ્થા કરવાનું સરકારને જણાવ્યું. તેમણે કહ્યું કે રખડતા પ્રાણીઓ ખેડૂતોનો પાક બર્બાદ ન કરે તેવી પણ વ્યવસ્થા કરવી જોઈએ.