વેક્સિનનો સૌથી વધુ વેસ્ટ કરવામાં સૌથી ટોપમાં ઝારખંડ અને છત્તીસગઢ રાજ્ય આવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા
વેક્સિન સપ્લાય વધારતા સામે આવ્યા છે આવા પરિણામો
વેક્સિનનો બગાડ કરવામાં આ બધા રાજ્યો પણ સામેલ
હવે સરકારે પણ રસીકરણ અભિયાન વધુ ઝડપી બનાવ્યું
વેક્સિન સપ્લાય વધારતા સામે આવ્યા છે આવા પરિણામો
કોરોના સામે લડવા માટે અમુક રાજ્યો વેક્સિન ઝડપથી મળી રહે તેવા પ્રયાસો કરી રહી છે તો બીજી બાજુ કેટલાક રાજ્યો એવા છે જેમણે કેન્દ્ર તરફથી મળતો વેક્સિનનો ત્રીજો ભાગ વેસ્ટ કરી દીધો છે. આ રાજ્યમાં સૌથી પહેલું નામ ઝારખંડ અને પછી છત્તીસગઢ આવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર ઝારખંડને આપેલ વેક્સિનમાંથી 37.3 ટકા વેક્સિનનો બગાડ કરવામાં આવ્યો છે અને છત્તીસગઢમાં આપેલ વેક્સિનમાંથી 30.2 ટકા વેક્સિનનો બગાડ કરવામાં આવ્યો છે.
વેક્સિનનો બગાડ કરવામાં આ બધા રાજ્યો પણ સામેલ
માત્ર ઝારખંડ અને છત્તીસગઢમાં જ વેક્સિનનો બગાડ નથી થઈ રહ્યો, બીજા પણ ઘણા રાજ્યો આ લિસ્ટમાં સામેલ છે. જેમાં તલમિલનાડુ, જમ્મુ કાશ્મીર અને મધ્યપ્રદેશ પણ સામેલ છે. પણ ઝારખંડ અને છત્તીસગઢ કરતાં બગાડ ઓછો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર તમિલનાડુમાં 15.5 ટકા વેક્સિન બરબાદ થઈ, જમ્મુ કાશ્મીરમાં 10.8 ટકા વેક્સિન બરબાદ થઈ અને મધ્યપ્રદેશમાં 10.7 ટકા વેક્સિન બરબાદ થઈ. રાષ્ટ્રીય સ્તર પર જોવા જોઈએ તો કુલ 6.3 ટકા વેક્સિન બરબાદ થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ આંકડા આપ્યા બાદ દરેક રાજ્યોને વિનંતી કરી છે કે વેક્સિનનો બગાડ ઓછો કરવામાં આવે.
હવે સરકારે પણ રસીકરણ અભિયાન વધુ ઝડપી બનાવ્યું
છત્તીસગઢમાં અત્યાર સુધીમાં 70 લોકોને વેક્સિન આપવામાં આવી છે અને ઝારખંડમાં 40 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. જો આ બંને રાજ્યોમાં વેક્સિનનો બગાડ આટલો ના થયો હોત તો ઘણા લોકોને વેક્સિન મળી હોત. તામિલનાડુમાં 76.50 લાખ, જમ્મુ કાશ્મીરમાં 30.46 લાખ અને મધ્યપ્રયદેશમાં 1 કરોડ લોકોને વેક્સિન મળી ચૂકી છે. દેશભરમાં અત્યારસુધીમાં 20.06 કરોડ લોકોને વેક્સિન અપાઈ ગઈ છે. જેમાં 15.71 કરોડ લોકો એવા છે કે જેમણે રસીનો એક ડોઝ લઈ લીધા છે અને 4.35 કરોડ લોકોને રસીના બંને ડોઝ મળી ચૂક્યા છે. હવે સરકારે પણ રસીકરણ અભિયાન વધુ ઝડપી બનાવ્યું છે.