સરકારના ત્રણ વિભાગ સામે સૌથી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદ મળી છે. શહેરી વિકાસ મંત્રાલય, પંચાયત-ગ્રામ ગૃહનિર્માણ અને મહેસૂલ વિભાગ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ મળી છે.
રાજ્યમાં દિવસે દિવસે ભ્રષ્ટાચાર વધતો જાય છે. જેમાં સૌથી પંચાયત-ગ્રામ ગૃહનિર્માણ વિભાગ સામે કુલ 1272 અરજીઓ મળી છે. જ્યારે મહેસૂલ વિભાગ વિરૂદ્ધ 1154 અરજીઓ તકેદારી આયોગને મળી છે અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ સામે પણ 125 અરજીઓ મળી છે.
જ્યારે શહેરી વિકાસ વિરુદ્ધ 1 હજાર 505 અરજીઓ મળી છે. જેમાં તકેદારી આયોગને સૌથી વધુ ભ્રષ્ટાચારની 8 હજારથી વધુ અરજીઓ મળી છે. જેમાં 915 અરજીઓમાં અધિકારી અને કર્માચારીઓ સામે ગંભીર આક્ષેપો કરાયા છે.