અમરેલીમાં પૂનમની ભરતીએ જાફરાબાદનો દરિયો ગાંડોતુર થયો છે. જાફરાબાદના શિયાળ બેટ પર 10 ફૂટના ઉંચા મોજા ઉછળ્યા છે. પૂનમની ભરતીને કારણે દરિયાનું પાણી જેટી સુધી પહોચ્યું છે. વાયુ વાવાઝોડા બાદ ફરી એક વખત દરિયો ગાંડોતુર બન્યો છે. કોતરોમાં દરિયાના મોજા અથડાતા મનમોહક દ્રશ્યો સર્જાયા છે.