દેશના અર્થતંત્ર પર છવાયેલ સુસ્તીને જોઇને સરકાર હવે રેવન્યૂ વધારવા માટેના ઉપાયો શોધી રહી છે. આ ઉપાયો હેઠળ સરકાર કેટલીક સ્વાસ્થ્ય સેવાઓ પણ જીએસટીના દાયરામાં લાવી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં મંત્રાલય જીએસટી કલેક્શન વધારવા રાજ્ય સરકારો સાથે ચર્ચા કરી રહ્યું છે. એવી શક્યતા છે કે નાણાં મંત્રાલય પ્રીમિયમ સ્વાસ્થ્ય સેવાને જીએસટીના 12 કે 18 ટકાના સ્લેબ હેઠળ લાવી શકે છે.
જીએસટી કલેક્શન વધારવા વિચારણા
સરકાર હવે રેવન્યૂ વધારવા માટેના ઉપાયો શોધી રહી છે
પ્રીમિયમ સ્વાસ્થ્ય સેવા જીએસટીના 12 કે 18 ટકાના સ્લેબમાં આવશે
આ સ્વાસ્થ્ય સેવામાં હાઇ વેલ્યૂ ઇમ્પ્લાન્ટ અને દવાઓનો સમાવેશ થાય છે કે જે એવા દર્દીઓને આપવામાં આવે છે કે જેઓ કોઇ હોસ્પિટલ અથવા નર્સિંગહોમ જેવા હેલ્થ કેર સર્વિસ પ્રોવાઇડર પાસેથી પ્રીમિયમ સેવા લઇ રહ્યા હોય.
ટેક્સ હેઠળ આવતી આ આઇટમ્સમાં દર્દી દ્વારા જે પ્રીમિયમ રૂમ, ફૂડ અને બેવરેજનો ઉપયોગ કરાય છે તેનો પણ તેમાં સમાવેશ થઇ શકે છે. 18 ડિસેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક થવા જઇ રહી છે, જેમાં જીએસટીના દરમાં બદલાવ પણ થઇ શકે છે. હાલ કોઇ ક્લિનિક કે માન્યતા પ્રાપ્ત ડોક્ટર પાસેથી ડાયોગ્નોસિસ્ટ કરાવવા કે કોઇ બીમારી, ઇજા, વિકલાંગતા કે પ્રેગનન્સી માટેની સારવારને જીએસટીના દાયરામાંથી બહાર રખાઇ છે, જોકે હેર ટ્રાન્સપ્લાન્ટ, કોસ્મેટિક કે પ્લાસ્ટિક સર્જરી પર ટેક્સ લગાવવામાં આવે છે.