સુપ્રીમ કોર્ટનો મહા ચુકાદો / અયોધ્યા કેસમાં નિર્ણય આવ્યા બાદ દેશભરમાં અલર્ટ, સોશ્યિલ મીડિયા પર રહેશે ખાસ નજર

High Security Planning Due to Ayodhya Case Verdict

અયોધ્યા જમીનને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ચૂક્યો છે. હવે રામમંદિર બનવાનો રસ્તો સાફ થયો છે. નિર્ણયને લઈને દેશભરમાં સુરક્ષાનો ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. રાજ્યના દરેક જિલ્લામાં પોલીસ ફોર્સ ગોઠવી દેવામાં આવી છે. આ સિવાય દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગુલુરુ સહિત અનેક દેશોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે. આ સિવાય સોશ્યિલ મીડિયા પર ખાસ નજર રાખવામાં આવી છે. પોલિસનું કહેવુ છે કે સોશ્યિલ મીડિયા પર કોઈ પણ નિર્ણયને લઇને ઉજવણી ન મનાવવામાં આવે અને સાથે જ વિરોધમાં કોઈ પોસ્ટર પણ લગાવવામાં ન આવે.

બ્રેકિંગ ન્યૂઝ