અયોધ્યા જમીનને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ચૂક્યો છે. હવે રામમંદિર બનવાનો રસ્તો સાફ થયો છે. નિર્ણયને લઈને દેશભરમાં સુરક્ષાનો ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. રાજ્યના દરેક જિલ્લામાં પોલીસ ફોર્સ ગોઠવી દેવામાં આવી છે. આ સિવાય દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગુલુરુ સહિત અનેક દેશોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે. આ સિવાય સોશ્યિલ મીડિયા પર ખાસ નજર રાખવામાં આવી છે. પોલિસનું કહેવુ છે કે સોશ્યિલ મીડિયા પર કોઈ પણ નિર્ણયને લઇને ઉજવણી ન મનાવવામાં આવે અને સાથે જ વિરોધમાં કોઈ પોસ્ટર પણ લગાવવામાં ન આવે.
મુંબઈમાં કલમ 144 લાગૂ
અયોધ્યા પર નિર્ણય આવ્યા બાદ મુંબઈમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. બપોરે 11 વાગ્યાથી કલમ 144 લાગૂ કરવામાં આવી છે. આ સિવાય આખા શહેરમાં 40 હજારથી વધારે પોલિસકર્મીઓને ફરજ પર રાખવામાં આવ્યા છે.
અમિત શાહને મળ્યા NSA
અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે. આ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી મળ્યાના કેન્દ્રીય ગૃહ સચિવ અભિષેક ભલ્લા અને એનએસએ અજીત ડોભાલ પણ મળી ચૂક્યા છે. નિર્ણય બાદ સુરક્ષા વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવી રહી છે.
SCની આસપાસ છે કલમ 144 લાગૂ
અયોધ્યા પર નિર્ણયને લઈને સુપ્રીમ કોર્ટની આસપાસના વિસ્તારોમાં કમલ 144 લાગૂ કરવામાં આવી છે. આ સાથે તિલક માર્ગ અને મથુરા રોડથી ભગવાન દાસ રોડને બંઝ કરવામાં આવ્યા છે. ગાડીઓને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
Traffic Alert
Mathura road to Bhagwan Das road carriageway towards Tilak Marg has been closed for traffic and pedestrian movement. Motorist area advised to take alternate route via C - Hexagon.
અયોધ્યામાં સુરક્ષાની કડક વ્યવસ્થા
યૂપી પોલિસના એડીજી આશુતોષ પાંડેયે કહ્યું કે અયોધ્યામાં અર્ધસૈનિક દળ, આરપીએફ, પીએસીની 60 કંપનીઓ અને 1200 પોલીસ કોન્સ્ટેબલ, 250 સબ ઇન્સ્પેક્ટર, 20 ડિપ્ટી એસપી અને 2 એસપી તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ સુરક્ષાની દેખરેખ માટે ડબલ લેયર બેરિકેડિંગ, 35 સીસીટીવી અને 10 ડ્રોન લગાવવામાં આવ્યા છે.
ADG UP Police, Ashutosh Pandey in #Ayodhya: 60 companies of paramilitary force, RPF and PAC and 1200 police constables, 250 Sub-inspectors, 20 Dy-SPs & 2 SPs deployed. Double layer barricading, public address system, 35 CCTVs&10 drones deployed for security surveillance https://t.co/X18sxtSF2b
મુંબઈમાં 40 હજાર પોલિસ કર્મીઓ ફરજ પર
અયોધ્યાના નિર્ણયને લઈને મુંબઈમાં 40 હજાર પોલિસ કર્મીઓને ફરજ પર રાખવામાં આવ્યા છે. તેમાં રિઝર્વ પોલિસદળના જવાનો પણ સામેલ છે. આ સિવાય આખા શહેરને સીસીટીવીથી કન્ડક્ટ કરવામાં આવી રહ્યું છે. મુંબઈની આસપાસ પણ અનેક જગ્યાએ મોટી સંખ્યામાં પોલિસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
Security heightened in #Ayodhya ahead of the verdict in Ayodhya land dispute case today; Section 144 (prohibits assembly of more than 4 people in an area) has been imposed in the state of Uttar Pradesh. pic.twitter.com/XTw8rhTyfm
ધાર્મિક સ્થળોનું ચેકિંગ
નોઈડામાં પોલિસે ધાર્મિક સ્થળો પર સઘન ચેકિંગ શરૂ કર્યું છે. આ સાથે અહીં પણ દરેક ખાસ જગ્યાઓએ પોલિસ તૈનાત કરી દેવામાં આવી છે.
PM મોદી અને CM યોગીએ કરી શાંતિની અપીલ
નિર્ણયને ધ્યાનમાં રાખીને અયોધ્યા, યૂપી સહિત તમામ શહેરોમાં સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. પીએમ મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શાંતિ અને સૌહાર્દને જાળવી રાખવાની અપીલ કરી છે.