હવે ગુજરાતમાં પણ દુબઇ-સિંગાપોરની જેમ હાઇ રાઇઝ બિલ્ડિંગ જોવા મળશે. જેમાં રાજ્યના 5 મોટા શહેરોમાં 60 માળ સુધીની ઉંચી બિલ્ડિંગ બનાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બિલ્ડરોને પ્રોજેક્ટ તૈયાર કરવા અંગે જણાવ્યું છે.
હવે ગુજરાતમાં જોવા મળશે ગગનચુંબી ઈમારતો
ભવિષ્યમાં રાજ્યના 5 શહેરોમાં જોવા મળશે ઉંચી ઈમારતો
બિલ્ડરો 50-60 માળની ઈમારતો બનાવેઃ રૂપાણી
CM વિજય રૂપાણીએ બિલ્ડરોને પ્રોજેક્ટ તૈયાર કરવા કહ્યું
હવે ગુજરાતમાં જોવા ગગનચુંબી ઇમારતો મળશે. દુંબઇ અને સિંગાપોરની જેમ ગુજરાતમાં પણ 60 માળની ઉંચી ઇમારતો બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બિલ્ડરોને પ્રોજેક્ટ તૈયાર કરવા કહ્યું છે. આમ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદન બાદ ભવિષ્યમાં રાજ્યના 5 શહેરોમાં ઉંચી ઇમારતો જોવા મળશે.
ઉંચી ઇમારત માટે સરકાર મંજૂરી આપશે
દુબઇ-સિંગાપોરની જેમ રાજ્યના મુખ્ય 5 શહેરોમાં હવે ઉંચી બિલ્ડિંગ જોવા મળશે. ક્રેડાઇ ગુજરાતના કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણીએ આ અંગે જણાવ્યું હતું.
સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્યમાં બિલ્ડરો 50થી 60 માળની ઇમારતો બનાવે. બિલ્ડરોને ઉંચી ઇમારતો માટે રાજ્ય સરકાર પરમિશન આપશે.
આમ વિશ્વના અનેક શહેરમાં જોવા મળતી ગગનચુંબી ઇમારત બાદ ગુજરાતના લોકોને હવે રાજ્યમાં જ 50થી 60 માળની બિલ્ડિંગનો નજારો જોવા મળશે. આમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હવે ગુજરાતમાં 50થી 60 માળની ઇમારતને લઇને બિલ્ડરોને પ્રોજેક્ટ તૈયાર કરવા અંગે સૂચન કર્યું છે.
CM વિજય રૂપાણીએ ગ્રોથ એમ્બેસેડર્સ સમિટ 2019નો પ્રારંભ કરાવ્યો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ક્રેડાઇ ગુજરાત દ્વારા આયોજીત ગ્રોથ એમ્બેસેડર્સ સમિટ 2019નો પ્રારંભ કરાવ્યો હતો. શહેરી વિકાસ ક્ષેત્રોને આયોજનબદ્ધ વેગ આપવા સાથે ખાનગી અને જાહેર જમીનો પરની ઝૂંપડપટ્ટી વસાહતોને સુવિધાયુકત આવાસ મળે તે માટે તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના તહેત 2022 સુધીમાં સૌને આવાસ છત્ર મળે તેવા ભાવ સાથે તાજેતરમાં અનેક પહેલરૂપ નિર્ણયો કર્યા છે. હવે બાંધકામના નિયમોમાં જે મહત્વપૂર્ણ જોગવાઇઓ કરી છે તેના પરિણામે નગરો-મહાનગરોમાં બાંધકામ ઊદ્યોગને નવી દિશા મળતી થશે.