હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં વોન્ટેડ આરોપી અશોક જૈનની આગોતરા જામીન અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં કોર્ટે 8 ઓક્ટોબર સુધી ચુકાદો અનામત રાખ્યો છે.
વડોદરાના દુષ્કર્મ કેસ મામલે આરોપીને અરજી
અશોક જૈનની અરજી પર હાથ ધરાઈ સુનાવણી
કોર્ટે 8 ઓક્ટોબર સુધી ચૂકાદો અનામત રાખ્યો
વડોદરામાં ચકચારી દુષ્કર્મ કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં વોન્ટેડ આરોપી અશોક જૈનની આગોતરા જામીન અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં કોર્ટે 8 ઓક્ટોબર સુધી ચુકાદો અનામત રાખ્યો છે.
અશોક જૈનની અરજી પર હાથ ધરાઈ સુનાવણી
પોલીસે આરોપીને આગોતરા જામીન ન આપવા માટે રજૂ કરેલા સોગંદનામામાં કહ્યું છે કે આરોપી અશોક જૈને પીડિતાના વાળ પકડીને માર માર્યો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું આ સમગ્ર ઘટનામાં 2 અને 3 સપ્ટેમ્બરે બની જે દરમિયાન પીડિતા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો. જોકે આરોપીના વકીલે અશોક જૈન 1 થી 3 સપ્ટેમ્બર દરમિયાન વડોદરામાં ન હોવાનું જણાવ્યું હતું, જે માટે વકીલે અશોક જૈન લખનૌની હોટલમાં હતા જેના પુરાવા રૂપે વકીલે ફ્લાઈટ ટિકિટ અને હોટેલ બુકિંગના પુરાવાઓ પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જે બાદ આરોપીના વકીલે અલ્પુ સિંધીને પકડવા કોર્ટ સમક્ષ માગણી કરી હતી.
કોર્ટે 8 ઓક્ટોબર સુધી ચૂકાદો અનામત રાખ્યો
આપને જણાવી દઈએ કે વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકમાં 19 સપ્ટેમ્બરના રોજ શહેર નજીકની ખાનગી યુનિવર્સીટીમાં કાયદાનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ સીએ અશોક જૈન અને પાવાગઢ મંદિરના પૂર્વ સ્ટ્રટી રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદથી લઇ આજદિન સુધી અશોક જૈન ફરાર છે. જ્યારે અન્ય આરોપી રાજુ ભટ્ટ અને આરોપીને મદદ કરનાર કાનજી મોકરીયાની પોલીસે ધરપકડ કરી લીધી છે અને કાનજી મોકરીયાને કોર્ટે જેલમાં મોકલી આપ્યો છે.
શું છે અશોક જૈન સાથે જોડાયેલ સમગ્ર ઘટના
આ દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈનના વકીલ હિતેષ ગુપ્તા દ્વારા વડોદરાની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકવામાં આવી હતી. આગોતરા જામીન અરજી મુક્યા બાદ મામલાની તપાસ કરી રહેલી પોલીસે સોમવારે સોગંદનામું રજુ કર્યું હતું. પોલીસે કોર્ટમાં રજુ કરેલા સોગંદનામામાં કહેવાયું છે કે 2 થી 3 સપ્ટેમ્બર દરમિયાન પીડિતા નિસર્ગ એપાર્ટમેન્ટમાં ટીફીન લઇ આવી હતી. તે સમયે પીડિતાને જમવાનું કહેતા તેણીએ ના પાડી હતી જેથી અશોક જૈને ઉશ્કેરાઇને પીડિતાના વાળ પકડી બેડરૂમમાં લઇ જઇ માર મારી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલુ સોગંદનામું અને આરોપીના વકીલ દ્વારા રજુ કરવામાં આવેલા પુરાવામાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. હવે આ મામલે શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.