મુંબઇ પોલીસના એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ IPS ઓફિસર હિમાંશુ રોયે આત્મહત્યા કરી લીધી છે. જાણકારી પ્રમાણે શુક્રવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી પોતાની જાતને ગોળી મારી દીધી. 54 વર્ષના હિમાંશુ રોયે પોતાના સરકારી આવાસ પર આજે બપોરે 1:40 વાગ્યે પોતાને ગોળી મારી લીધી.
ઘાયલ હિમાંશુ રૉયને લઇને પરિવારના લોકો બૉમ્બે હોસ્પિટલમાં પહોંચ્યા પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટર્સે તેમણે મૃત ધોષિત કરી દીધા હતા. જાણકારી અનુસાર હિમાંશુ રૉયએ પોતાના જ મોઢામાં મૂકીને પોતાને ગોળી મારી દીધી જેના કારણે તેમનું બચવું મુશ્કેલ થઇ ગયું હતુ.
મળતી માહિતી અનુસાર તેમને હાડકાનું કેન્સર હતું અને છેલ્લા બે વર્ષથી તેની સારવાર ચાલી રહી હતી. તેઓ ઘણા સમયથી રજા પર હતા. રોયનો બોલિવુડ પોલિટિક્સ મીડિયા તેમજ બિલ્ડરો સાથે પણ સારો એવો ઘરોબો હતો. તેઓ ફિટનેસ કોન્શિયસ હતા અને પોલીસ ફોર્સમાં ફિટનેસ આઈકન ગણાતા.
ઉલ્લેખનીય છે કે 1988 બેંચના આઈપીએસ ઓફિસર રિમાંશુ રોયે 2013માં આઈપીએલ સટ્ટાકાંડ ઉજાગર કર્યો હતો અને તેમણે જ દારાસિંહના દીકરા વિંદુ દારા સિંહ તેમજ ચેન્નૈ સુપરકિંગ્સના શ્રીનિવાસનના જમાઈ મયપ્પનની ધરપકડ કરી હતી. આ ઉપરાંત દાઉદના ભાઈ ઈકબાલ કાસકરના ભાઈના ડ્રાઈવર આરીફ બાએલ પર થયેલા ફાયરિંગ કેસને પણ તેમણે ઉકેલ્યો હતો. થોડા દિવસ પહેલા જ જેનો ચુકાદો આવ્યો છે તેવા જે.ડે મર્ડર કેસને પણ તેમણે જ ઉકેલ્યો હતો