બોટાદ લઠ્ઠાકાંડને લઇને ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે. ત્યારે એકબાજુ CMએ તપાસના આદેશ આપ્યા છે તો બીજી બાજુ યોજાશે ઉચ્ચસ્તરીય બેઠક.
બોટાદ લઠ્ઠાકાંડ મામલે યોજાશે ઉચ્ચસ્તરીય બેઠક
બેઠકમાં લેવાઇ શકે છે મહત્વના નિર્ણય
CMએ પણ ઘટનાની નોંધ લઇ ત્વરીત તપાસના આદેશ આપ્યા
બોટાદમાં લઠ્ઠાકાંડ મામલે આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. ગૃહરાજ્યમંત્રીની આગેવાનીમાં આ બેઠક યોજાશે કે જેમાં ગૃહ વિભાગના અગ્રસચિવ, રાજ્ય પોલીસ વડા સહિત SITના અઘિકારીઓને હાજર રહેવા ફરમાન કરાયું છે. મહત્વનું છે કે, આ બેઠકમાં મહત્વના નિર્ણય લેવાઇ શકે છે.
CMએ પણ ત્વરીત તપાસના આદેશ આપ્યા
બોટાદમાં લઠ્ઠાકાંડને લઈ સરકાર હરકતમાં આવી છે ત્યારે મુખ્યમંત્રીએ પણ આ મામલે DGP સાથે વાતચીત કરી છે. આ તરફ ગૃહરાજ્યમંત્રીએ પણ ઘટનાની નોંધ લીધી છે. બોટાદમાં લઠ્ઠાકાંડને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્વરીત તપાસના આદેશ આપ્યા છે. નોંધનીય છે કે, બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 20 થી વધુ લોકોના મોત અને અન્યની હાલત ગંભીર થતાં ખળભળાટ મચ્યો છે. જો કે આજે આ લઠ્ઠાકાંડમાં વધુ કેટલાંક લોકોના મોત થતાં મૃત્યુઆંક વધીને 27 થઈ ગયો છે. બીજી તરફ હજી કેટલાંક દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
બોટાદમાં કથિત લઠ્ઠાકાંડ મામલે ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રીની આગેવાનીમાં યોજાશે ઉચ્ચસ્તરીય બેઠક, બેઠકમાં લેવાઇ શકે છે મહત્વના નિર્ણય, બેઠકમાં ગૃહ વિભાગના અગ્રસચિવ, રાજ્ય પોલીસ વડા સહિત SITના અઘિકારીઓ રહેશે હાજર#Botad#latthakand
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 26, 2022
બોટાદમાં લઠ્ઠાકાંડમાં વધુ 3 લોકોના મોત
બોટાદમાં લઠ્ઠાકાંડમાં વધુ 3 લોકોના મૃત્યુ થયા છે. જેમાં વેજળકા ગામના 2 લોકો જ્યારે પોલારપુર ગામમાં 1નું મૃત્યુ થતા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 27 લોકોના મૃત્યુ થયા છે.
બોટાદના લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધ્યો: વેજળકા ગામના 2 લોકો અને પોલારપુર ગામમાં 1નું મૃત્યુ થતા અત્યાર સુધીમાં કુલ 27 લોકો મોતને ભેટ્યાં#Botad#latthakand
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 26, 2022
ઘટનાને પગલે SIT ની રચના કરાઇ
આ બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DySPની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે. FSLને પણ દારૂની અસર થયેલા લોકોના તેમજ મૃતકોના સેમ્પલ આપવામાં આવ્યા છે જે બાદ જ મૃત્યુનું સાચુ કારણ આધિકારિક રીતે બહાર આવી શકે છે.
કથિત લઠ્ઠાકાંડ મામલે બોટાદ SP કરણરાજસિંહ વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું કે, 'કથિત લઠ્ઠાકાંડમાં વપરાયેલ કેમિકલ ચોરીનું હોવાનો ખુલાસો થયો છે. દારુમાં વપરાયેલ કેમિકલ ચોરી કરાયું હતું. લાંભા અટકાયત કરવામાં આવેલ શખ્સ આ કેમિકલ ચોરી કરીને લાવ્યો હતો. હાલમાં આ મામલે રાણપુર અને બરવાળા ગામે તપાસ ચાલી રહી છે. દેશી દારુને લઇ સ્થાનિક PIને તપાસ માટેના આદેશ પણ અપાયા છે.