ગુજરાતમાં ફરી હવે કોરોનાનું સંકટ ઘેરુ બન્યું છે એકાએક કેસમાં ઉછાળો આવતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે.
સુરતમાં કોરોનાને લઈ ઉચ્ચસ્તરીય બેઠક
અધિક સચિવની આગેવાનીમાં યોજાઇ બેઠક
ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ પર અપાશે ધ્યાન
ગુજરાતમાં ફરી હવે કોરોનાનું સંકટ ઘેરુ બન્યું છે, અનેક જિલ્લાઓમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે તેમાંય સુરતમાં એકાએક કેસમાં ઉછાળો આવતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. કોરોનો કહેર ફરી જોવા મળી રહ્યો છે. તેવામાં ગુજરાત સરકારે ખાસ અધિકારીને તાબડતોબ બેઠક બોલાવી હતી અને તંત્રના ખાસ અધિકારીઓને સુરત મોકલ્યા હતા.
સુરતમાં કોરોનાને લઈ ઉચ્ચસ્તરીય બેઠક
વધતા કોરોનાને જોતા ગુજરાત સરકારે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. સરકાર દ્વારા નિમાયેલા અધિક સચિવ એમ.થેન્નારસની આગેવાનીમાં આ બેઠક મળી હતી. જેમાં પાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. સુરતમાં મળેલી મહત્વની બેઠકમાં કોરોનાને માત આપવા સરકાર દ્વારા ખાત પ્રકારની તૈયારીઓ અને તેની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં કોરોના ટેસ્ટિંગ, કોન્ટેક્ટ ટ્રેસિંગ, ટ્રીટમેન્ટથી લઈને ખાસ પ્રકારનું આયોજન કરવા પર ભાર મુકાયો હતો જ્યારે જે વિસ્તારમાં સંક્રમણ વધુ હોય તે વિસ્તારમાં જરૂર પડ્યે પ્રતિબંધ મુકવાનો પણ નિર્દેશ કરાયો છે.સાથે જ કોરોના કેસ વધતા તંત્ર દ્વારા મોલ, મલ્ટીપ્લેક્ષ સહિતના સ્થળો પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.
ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ પર અપાશે ધ્યાન
મહત્વનું છે કે સુરતમાં બુધવારે જ ઓમિક્રોનના નવા પાચ કેસ સામે આવ્યા છે તે જોતા કાપડ અને હીરા બજારમાં માસ્ક અને હીરા બજારમાં માસ્ક વગર એન્ટ્રી ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા જિલ્લામાં વેક્સિનની કામગીરી પર ભાર મુકવામાં આવ્યો છે કોરોના કેસમાં ઉછાળો આવતાં સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારી દેવાઈ છે. વેક્સિન ન લેનારને સરકારી ઈમારતો અને બસમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. આજે 290 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઈ છે.ગઈ કાલે સુરત શહેર-જિલ્લામાં કોરોનાના 80 કેસ નોંધાયા છે. બે દિવસ પહેલા માત્ર 23 કેસ નોંધાયા હતા અને જેમાં સાડા ત્રણ ગણો વધારો નોંધાયો છે. શહેરમાં 72 અને જિલ્લામાં 08 કેસ સાથે વધુ નોંધાતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધી રહી છે.