LACની સ્થિતિ પર તણાવ ઓછો થવાની જગ્યાએ સતત વધી રહ્યો છે. બન્ને દેશોના સેન્ય વચ્ચે ફાયરિંગ થયું હતુ. જેને પગલે પરિસ્થિતિ વધુ વણસે તેવા અણસાર આવી રહ્યા છે. ચીન તેની અવળચંડાઈમાંથી બહાર આવતું નથી એટલું જ નહીં તે પોતે ભૂલ કરીને આરોપ ભારત અને તેની આર્મી પર નાંખી રહ્યું છે. આ પરિસ્થિતિની નાજુકતા અને મહત્વને ધ્યાનમાં રાખીને આ અંગે પીએમને જાણ કરવામાં આવી છે. તેમજ આ સમસ્યાને લઈને હાઈ કમિશનની બેઠક યોજાવા જઈ રહી છે.
LAC પર ફાયરિંગને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે. રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. જેમાં CDS બિપીન રાવત, NSA અજીત ડોભાલ અને આર્મી ચીફ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે હાલની સ્થિતિ પર પ્રધાનમંત્રીને જાણકારી અપાઈ છે.
LACને લઈને ચીની દાનત ખારા કોપરા જેવી છે. હવે તે અરુણાચલ પ્રદેશ પર પણ પોતાનો હક જમાવી રહ્યું છે. એક તરફ તેના રક્ષામંત્રીએ મોસ્કોમાં રાજનાથને મળવા માટે આજીજી કરી. રાજનાથ સાથે ચીની રક્ષા મંત્રીની બેઠક બાદ ચીને પોતાનો રંગ બતાવી તમામ જવાબદારી ભારતના માથે નાંખી દીધી હતી. એટલું જ નહીં તે વારંવાર વાતચીતથી સમસ્યા ઉકેલવાનો ડોળ કરે છે. ત્યારે ભારત માટે આ ખબૂ જ ગંભીર સમસ્યા છે. ચીન વારંવાર ભારતીય સૈન્ય અને સ્થાનિકોને હેરાન કરી રહ્યું છે. જેને પગલે હાલમાં રાજનાથની અધ્યક્ષતામાં એક બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં ચીનના ઈરાદા, તેની સરહદ પર પોઝિશન અને તેની યુદ્ધ અને રણનીતિની ચર્ચા થઈ શકે છે.