વ્યક્તિ વિશેષને ફાયદો પહોંચાડવા ટાઉન પ્લાનિંગમાં ફેરફાર કરવા બદલ ગુજરાત હાઇકોર્ટે સુરત મનપા અને કમિશનર શાલિની અગ્રવાલનો ઉધડો લીધો હતો.
ગુજરાત હાઇકોર્ટે સુરત મનપા અને કમિશનર શાલિની અગ્રવાલનો લીધો ઉધડો
અદાલતની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા બદલ હાઈકોર્ટે કાઢી ઝાટકણી
ન્યાયિક પ્રક્રિયા પડતર હોય ત્યારે કોઈને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી : HC
આજે ગુજરાત હાઇકોર્ટે સુરત મહાનગર પાલિકાના કમિશ્નર શાલિની અગ્રવાલનો ઉધડા લીધા હતા. ઉલ્લેખનીય છે કે શાલિની અગ્રવાલ દ્વારા અદાલતની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવામાં આવતા હાઇકોર્ટે તેમની ઝાટકણી કાઢી હતી.
કમિશનર શાલીની અગ્રવાલની ગુજરાત હાઇકોર્ટે કાઢી ઝાટકણી
આજે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલીની અગ્રવાલની ગુજરાત હાઇકોર્ટે ઝાટકણી કાઢી નાખી હતી. જેની પાછળનું કારણ એવું છે કે સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલ અદાલતની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કર્યો હતો. જેને લઈને કોર્ટે કહ્યું કે પડતર ન્યાયિક પ્રક્રિયામાં કાયદો હાથમાં લેવાનો કોઈ પણ અધિકારીને અધિકાર નથી. મ્યુની કમિશનર સામેના આરોપ મુજબ કોઈ વ્યક્તિને ફાયદો પહોંચાડવાનું કામ કર્યું હતું. વ્યક્તિગત કોઈને ફાયદો કરાવવા માટે ટાઉન પ્લાનીંગમાં ફેરફાર કર્યો હતો. જેને લઈને કોર્ટે તેમની ઝાટકણી કાઢી હતી.
કમિશનરને 6 માર્ચે કોર્ટમાં રૂબરૂ હાજર થવા ફરમાન
હાઇકોર્ટે આ મામલે સુરત કમિશનરની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, ખાનગી વ્યક્તિના એજન્ટની જેમ કોર્પોરેશન કામ કરી રહ્યું છે, તેમજ અધિકારીઓ મનમરજી ચલાવે છે અને પછી માફી માંગી લે છે, સામાન્ય માણસના સિસ્ટમ ઉપરના ભરોસાનો સવાલ છે. તેમજ માફીનામાની સાથે મનપા કમિશનરને 6 માર્ચે કોર્ટમાં રૂબરૂ હાજર થવું પડશે, મનપા કમિશનરે કરેલી તમામ કામગીરીનો ખુલાસો કરવો પડશે, જવાબદાર વ્યક્તિઓને સસ્પેન્શન લેટર સાથે હાજર રહેવા કોર્ટે આદેશ કર્યો છે.