નર્મદા અને જળસંચયના કર્મચારીનોને વળતર ન ચુકવાતા કરવામાં આવેલી અરજી અવલોકનમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટક્ણી કાઢતા કહ્યું કે,કામદારોને વળતર ચૂકવવા સરકારની ઢીલાશ કેમ
નર્મદા અને જળસંચયના કર્મચારીનોને વળતર ન ચુકવાતા ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઇ હતી. ગુજરાત હાઈકોર્ટે અવલોકનમાં રાજ્ય સરકારની ઝાટક્ણી કાઢતા કહ્યું કે,કામદારોને વળતર ચૂકાવવા સરકાર કેમ ઢીલાશ રાખી રહી છે ? રાજ્ય સરકાર બેવડા માપદંડ રાખી રહી હોવાનું પણ હાઈકોર્ટે નિરીક્ષણ કર્યું હતું. હાઈકોર્ટે આદેશ પણ આપ્યો કે, નર્મદા અને જળસંચય વિભાગના અધિકારીઓ હાઈકોર્ટને સાચી અને સમ્પૂર્ણ માહિતી આપે.
HC ચીફ જસ્ટીસ AMC પહોચ્યા હતા
ગુજરાત હાઇકોર્ટમાં AMC કમિશનરની ઓચિંતી મુલાકાત લીધી હતી HC ના ચીફ જસ્ટિસ સાથે કરી AMC કમિશ્નરે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો હેતુ શો હતો તે જાણવા મળ્યું નથી. દરમિયાન ન્યાય પ્રણાલીમાં પારદર્શિતા લાવવા સાથે ઝડપી ન્યાયિક પ્રક્રિયા અમાલી બનાવવા બાબતે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસે રાજ્યની નીચલી અદાલતોને ટકોર કરી હતી.
ગંભીરતા દાખવો
રાજ્યની નીચલી અદાલતોએ ગંભીરતા દાખવો અને કોર્ટમાં ચાલતા કેસો સમયસર આપવાની ટકોર કરી છે.કોર્ટમાં ચાલી રહેલા કેસોના જલદી ચુકાદા આવે તેવો પ્રયત્ન કરવો જોઈએ.ઉપરાંત કેસોનો નિકાલ કરવા મનફાવે તેવા હુકમો ન કરવા સાથે અદાલતોએ સત્તાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને કેસનું ભારણ ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ.ચીફ જસ્ટીસે સીટી સિવિલ સેશન્સ કોર્ટની મુલાકાત લીધી હતી અને તે સમયે કોર્ટમાં ગેરહાજર રહેતા સ્ટાફ અંગે માહિતી મેળવી હતી.
વેન્ડર્સને દર મહિને 10 હજારનું વળતર ચૂકવવા કરી માંગ
કોરોના કાળમાં આજીવિકા ગુમાવનાર વેન્ડર્સ વળતર મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી,રાજ્ય ભરના સ્ટ્રીટ વેન્ડર્સને કોરોના દરમિયાન વળતર ચુકવવા અને તેમના બાળકોને શાળામાં ફી ચુકવવા કરાયેલી અરજીમાં સરકારે વળતર આપવાનો ઈન્કાર કરી દીધો છે. સરકારે બચાવમાં કહ્યું કે અમે સ્ટ્રીટ વેન્ડર્સને બિનસંગઠન નીતિ મુજબ વળતર ચુકવી દીધું છે. પરતું સ્ટ્રીટ વેન્ડર્સ માટે હવે કોઈ અલાયદી વ્યવસ્થા નથી. એટલું નહીં સરકારની ગરીબો માટે બનાવેલી યોજના અતંર્ગત જે લાભ મળે છે તે જ લાભ મળશે, કોરોના કાળ માટે કોઈ વળતર મળશે નહીં.
વેન્ડર્સના વળતર માટે હાઇકોર્ટમાં PIL
મહત્વનું છે કોરોના કાળમાં રાજ્યમાં પરિસ્થિતિ વણસી હતી જેમાં રાજ્યમાં અનેક ઉદ્યોગ ધંધાઓ પર તેની માઠી અસર થઈ હતી. જેમાં રાજ્યમાં લારી ગલ્લા પર ધંધો કરતા લોકો ઉપર પણ માઠી અસર પડી હતી. વેન્ડર્સને દર મહિને 10 હજારનું વળતર ચુકકવા માંગ કરાઈ અને સ્ટ્રીટ વેન્ડર્સને સોશિયલ સિક્યુરિટી ઓળખપત્ર આપવાની પણ અરજદાર તરફી માંગ કરાઈ હતી પરતું હવે સરકારે વળતર આપવાનો ઈન્કાર કરી દીધો છે. અને કહ્યું છે શહેરી ગરીબો માટે સરકારની યોજના ચાલે છે તેનો લાભ સ્ટ્રીટ વેન્ડરને આપવામાં આવે છે. કોરોના માટે કોઈ ખાસ યોજના સરકાર પાસે નથી.
હાઇકોર્ટમાં સરકારે રજુ કર્યો જવાબ
રાજ્યભરનાં ચાર મુખ્ય શહેરોના સ્ટ્રીટ વેન્ડરના પ્રતિનિધિ તરફથી હાઈકોર્ટમાં કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં એડવોકેટ ભૂષણ ઓઝાએ એવી દલીલ કરી હતી કે, રાજ્યની કુલ વસતીના 2.5 ટકા લોકો ફેરીનો ધંધો કરે છે. તેમના પર આશ્રિત તેમના પરિવારની 3 વ્યક્તિ ગણીએ તો લાખોની સંખ્યામાં લોકોની આર્થિક સ્થિતિને તેની માઠી અસર થઈ છે. અરજીમાં સ્ટ્રીટ વેન્ડર્સને દર મહિને 10 હજાર વળતર ચૂકવવા દાદ માગવામાં આવી છે.
આ વર્ગને વળતર માટેની અલગ વ્યવસ્થા નથી-સરકાર
અરજીમાં જણાવાયું છે કે, સ્ટ્રીટ વેન્ડરને સોશિયલ સિક્યોરિટી માટે સરકારે ઓળખપત્ર આપવા જોઈએ. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં સ્ટ્રીટ વેન્ડરને કોરોનાના સમયગાળા દરમિયાન ખાસ આર્થિક સહાયતા આપવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં સ્ટ્રીટવેન્ડર્સ માટે કોઈ રાહત આપવામાં આવતી નથી જ્યારે સરકારે એવી દલીલ કરી હતી કે, શહેરી ગરીબો માટે સરકારની યોજના ચાલે છે તેનો લાભ સ્ટ્રીટ વેન્ડરને આપવામાં આવે છે. કોરોના માટે કોઈ ખાસ યોજના સરકાર પાસે નથી.