દિલ્હીની હાઈકોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે માનવીય વલણ દાખવીને કેસનો ચુકાદો સંભળાવ્યો હતો.
દિલ્હી હાઈકોર્ટનું માનવીય વલણ
એક કેસની સુનાવણી કરતા કોર્ટે કહી આ વાત
ગરીબ અને વંચિત લોકો માટે ન્યાયની વાત કહી
દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે, જ્યારે ગરીબ અને વંચિત ન્યાય માટે તેના દરવાજા ખખડાવે ત્યારે કોર્ટે સંવેદનશીલ બનવું જોઈએ. નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના વિસ્તરણ માટે 14 વર્ષ પહેલા તોડી પાડવામાં આવેલ પાંચ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને જમીનનો વૈકલ્પિક પ્લોટ આપવાનો નિર્દેશ કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી.
ન્યાયમૂર્તિ સી હરિ શંકરે પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે, આ ફાળવણી તેમના દસ્તાવેજ જોઈને થશે કે 30 નવેમ્બર 1998થી પહેલા સ્ટેશનની આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહી રહ્યા હતા. કોર્ટે કહ્યું કે, સ્થળાંતરણ નીતિ અંતર્ગત પાત્રાની કટઓફ તિથિ અને તેઓ આજે પણ ઝૂંપડપટ્ટીઓમાં રહે છે.
લોકો પોતાની મરજીથી ઝૂંપડપટ્ટીમાં નથી રહેતા
કોર્ટે કહ્યું કે, જ્યારે ગરીબ અને વંચિત કોર્ટના દરવાજા ખખડાવે છે, તો કોર્ટે સંવેદનશીલ થવાની જરૂર છે, કોર્ટે એ તથ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે કે આવા વાદીઓની પાસે સંપૂર્ણ કાયદાકીય સંસાધનો સુધી પહોંચ હોતી નથી. કોર્ટે કહ્યું કે, ઝૂંપડીમાં રહેતા લોકો પોતાની મરજીથી ઝૂંપડામાં રહેતા નથી.
કોલોનીનું નામ શહીદ બસ્તી જ રહે
ન્યાયમૂર્તિ હરિ શંકરે પાંચ લોકોની અરજી પર આ ચુકાદો આપ્યો હતો. અરજીકર્તાએ દાવો કર્યો હતો કે, તેઓ 1980ના દાયકાથી નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પાસે શહીદ બસ્તી ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહે છે. 2002-03માં જ્યારે ભારતીય રેલ્વે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનનું વિશ્વ સ્તરિય રેલ્વે સ્ટેશનમાં બદલવાની કોશિશ કરી રહ્યું હતું અને પ્લેટફોર્મની સંખ્યા વધારવા માટે તેમના સ્લમ વિસ્તારની જમીનનું અધિગ્રહણ કરવાની યોજના બનાવી. તેમને લાહૌરી ગેટ પર આવેલા પાટાની બીજી તરફ શિફ્ટ કરી દેવામા આવ્યા અને ત્યાં એક ઝૂંપડપટ્ટીની સ્થાપના કરી, કોલોનીનું નામ શહીદ બસ્તી જ રાખ્યું.
આધુનિકીકરણ માટે આ વિસ્તારને સાફ કરવાની જરૂર પડી
અરજી કર્તાએ કહ્યું કે, જો કે સ્ટેશન માટે આધુનિકીકરણ માટે અધિકારીઓએ લાહોરી ગેટની આજૂબાજૂના વિસ્તારને સાફ કરવાની પણ જરૂર હતી. જેના માટે 14 જૂન 2008ના રોજ ત્યાંની ઝૂંપડપટ્ટીઓને પાડી દીધી. અરજીકર્તા દ્વારા એવો તર્ક આપવામા આવ્યો હતો કે, સ્લમવાસીઓને પુનર્વાસની નીતિ અંતર્ગત પૂર્વ સર્વેક્ષણ વિના તેમને બેદખલ કરી શકાય નહીં. તો વળી રેલ્વેએ તર્ક આપ્યો હતો કે, પુનર્વાસ નીતિમાં ફક્ત ઝૂંપડપટ્ટી નિવાસીઓના પુનર્વાસની પરિકલ્પના કરવામાં આવી હતી, જે 30 નવેમ્બર 1998 અથવા તેની પહેલા બનાવામાં આવી હોય, અને લાહૌરી ગેટ પર અરજીકર્તાના ઘર ફક્ત 2003માં બનાવામાં આવ્યા હતા. રેલ્વેએ કહ્યુે કે, સર્વે કરવાની જરૂર ફક્ત પાત્ર ઝૂંપડપટ્ટીવાળા પર લાગૂ થાય છે, જે કટઓફની સ્થિતિ પહેલા હતા.