બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ ખંડપીઠે પત્નીને તેના પૂર્વ પતિને દર મહિને 3000નું નિર્વાહ ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો છે.
બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ ખંડપીઠનો જબરો ચુકાદો
પત્નીને કહ્યું પૂર્વ પતિને મહિને 3000નું વળતર ચુકવો
પત્ની છે શિક્ષિકા, પતિ પાસે આવકનું કોઈ સાધન નથી
બન્નેના થયા છે છૂટાછેડા
સામાન્ય રીતે તમે એવા સમાચાર સાંભળ્યા જ હશે કે કોર્ટે પતિને પત્નીનું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ ઔરંગાબાદમાં એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ ખંડપીઠે એક મહિલાને તેના પૂર્વ પતિને 3000 રૂપિયાનું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે મહિલા જે શાળામાં શિક્ષક તરીકે કામ કરે છે તે શાળાને પણ આદેશ આપ્યો છે કે, તે દર મહિને મહિલાના પગારમાંથી 5000 રૂપિયા કાપીને કોર્ટમાં જમા કરાવે. આ એટલા માટે છે કારણ કે અદાલતે આદેશ આપ્યો હોવા છતાં મહિલાએ ઓગસ્ટ 2017 થી તેના વિમુખ પતિને ભરણપોષણ ચૂકવ્યું નથી. હાઈકોર્ટે મહિલાની એ અરજી પણ ફગાવી દીધી હતી કે તેણે તેના પતિને છૂટાછેડા આપી દીધા છે અને તે પછી ભરણપોષણ ચૂકવવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.
મહિલાને પૂર્વ પતિને ગુજારા ભથ્થું ચુકવવાનો કેમ આદેશ આપ્યો
વાત એવી છે કે મહિલા અને પૂર્વ પતિના ઓગસ્ટ 2017માં છૂટાછેડા થયા હતા, મહિલા શિક્ષિકા તરીકે નોકરી કરીને સારુ એવું કમાઈ કરી રહી છે જ્યારે પતિની સ્થિતિ સારી નથી, આવા કિસ્સામાં પતિએ કોર્ટનો સંપર્ક સાધીને પતિ પાસેથી ગુજારા ભથ્થું માગ્યું હતું કોર્ટને પણ પતિને વાત વ્યાજબી લાગી હતી અને પત્નીને આદેશ આપ્યો હતો કે તેણે પતિને ગુજારા ભથ્થું આપવું પડશે.કોર્ટનો આદેશ હોવા છતાં પણ મહિલાએ તેના પૂર્વ પતિને ભથ્થું આપવાનું ટાળી રહી હતી.તેથી હવે કોર્ટે લાલ આંખ કરી છે.
મહિલાના પગારમાંથી દર મહિને 5000 કાપીને કોર્ટમાં જમા કરાવો
નાંદેડમાં સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટે ઓગસ્ટ 2017માં મહિલાને આદેશ આપ્યો હતો કે કેસની સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી તેના પૂર્વ પતિને દર મહિને રૂ.3,000નું વચગાળાનું ભરણપોષણ ચૂકવવામાં આવે, કારણ કે તેની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અને મહિલા સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરતી હતી. મહિલાએ આદેશનું પાલન ન કર્યું ત્યારે કોર્ટે ડિસેમ્બર 2019માં તેની સ્કૂલના હેડમાસ્તરને આદેશ જાહેર કર્યો હતો કે, તે દર મહિને મહિલાના પગારમાંથી 5000 રૂપિયા કાપીને કોર્ટમાં જમા કરાવે, કારણ કે તેણે અગાઉનું ભરણપોષણ પણ ચૂકવ્યું નથી.
મહિલાએ શું દલીલ કરી કોર્ટમાં
ઔરંગાબાદ હાઈકોર્ટમાં આ આદેશ વિરુદ્ધ અપીલ કરનાર મહિલાએ પોતાની અરજીમાં કહ્યું કે, તેના લગ્ન 1992માં થયા હતા, પરંતુ થોડા સમય બાદ તે અલગ થઈ ગઈ હતી. 2015માં કોર્ટે તેમના છૂટાછેડા મંજૂર કર્યા હતા. નાંદેડના સિવિલ જજનો આદેશ છૂટાછેડાનું ફરમાન પસાર થયા બાદ આવ્યો છે, જે કાયદાની નજરમાં યોગ્ય નથી. પતિ તરફથી હિન્દુ મેરેજ એક્ટની કલમ 25નો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે પતિ કે પત્નીની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટ તેમાંથી કોઈને ભરણપોષણનો આદેશ આપી શકે છે અને આ આદેશ તેમની વચ્ચેના છૂટાછેડાથી પ્રભાવિત નથી.ઔરંગાબાદ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે હિન્દુ મેરેજ એક્ટની કલમ 24 અને 25ને એક સાથે વાંચવાથી માલુમ પડે છે કે જો એક પતિ-પત્નીની આર્થિક સ્થિતિ સારી ન હોય અને બીજાની સ્થિતિ સારી હોય તો પહેલા પક્ષકાર ભરણપોષણની માગણી કરી શકે છે. આ ભથ્થું કેસમાં અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી અથવા તો કાયમ માટે હોઈ શકે છે.