ઉત્તરાખંડ હાઇકોર્ટે પ્રદેશ સરકારના નિર્ણયને નકારી કાઢતા કહ્યું છે અને આ વખતે યોજાનારી ચારધામની યાત્રા પર રોક લગાવી દીધી છે.
ચારધામની યાત્રા પર રોક લગાવી દીધી
નૈનીતાલ હાઈકોર્ટમાં સુનવણી ચાલી રહી હતી
પોતાનો આદેશ સરકારે સ્થગિત કર્યો હતો
ચારધામની યાત્રા પર રોક લગાવી દીધી
ઉત્તરાખંડ હાઇકોર્ટે પ્રદેશ સરકારના નિર્ણયને નકારી કાઢતા કહ્યું છે અને આ વખતે યોજાનારી ચારધામની યાત્રા પર રોક લગાવી દીધી છે. ઉત્તરાખંડ સરકારે 1 જુલાઇથી ચારધામ યાત્રા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પણ આજે એટલે કે સોમવારે હાઇકોર્ટે આ અમલ પર રોક લગાવી દીધી છે. કોરોનાને લઈ આ ફેસલો કોર્ટ દ્વારા જ લેવામાં આવ્યો છે. સરકારે જે ગાઈડલાઇન આપી હતી તે કુંભના મેળા વખતે આપેલ ગાઈડલાઇન જેવી જ હતી.
નૈનીતાલ હાઈકોર્ટમાં સુનવણી ચાલી રહી હતી
ઉત્તરાખંડ સરકારે ચમૌલી, રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશીના લોકો માટે ચારધામ યાત્રા ખોલવાના પોતાના આદેશને સ્થગિત કરી નાંખ્યો છે. આ વાત પર તીરથ સિંહ રાવત સરકારના કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલે કહ્યું કે ચારધામ પ્રવાસને લઈને નૈનીતાલ હાઈકોર્ટમાં સુનવણી ચાલી રહી છે. 16 જૂન બાદ રાજ્ય સરકાર યાત્રા ખોલવા પર વિચાર કરવામાં આવ્યો હતો.
ચારધામ યાત્રા ખોલવાનો પોતાનો આદેશ સરકારે સ્થગિત કર્યો
ઉલ્લેખનીય છે કે આની પહેલા સરકાર દ્વારા ચારધામ યાત્રાને લઈને જિલ્લાસ્તર પર પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ આરટી પીસીઆર નેગેટિવ રિપોર્ટ જરુરી હતો. સરકારે જે જિલ્લાને પ્રવાસની પરવાનગી આપી હતી તેમાં ચમોલી જિલ્લાના યાત્રી બદ્રીનાથ ધામના દર્શન, રુદ્રપ્રયાગ જિલ્લાના કેદારનાથ ધામના દર્શન અને ઉત્તરકાશી જિલ્લાના યાત્રી ગંગોત્રી, યમુનોત્રી ધામના દર્શન કરવાના નિયમ બનાવ્યા હતા. જો કે સરકારે હવે આદેશ સ્થગિત કરી નાંખ્યો છે. જો કે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં ફક્ત પુજારીઓને પૂજા અર્ચના સંબંધિત એક્ટિવિટીઓ કરવાની પરવાનગી છે.