અમદાવાદની સાબરમતી નદીમાં કેમિલ યુક્ત અને ડ્રેનેજનું પાણી ઠલવાઇ રહ્યું હોવાને લઈ હવે ગુજરાત હાઇકોર્ટ લાલચોળ, રાજ્ય સરકાર અને GPCBને આપ્યો ઠપકો
સાબરમતીને પ્રદૂષિત કરવાનો ખેલ યથાવત્, સરકાર યોગ્ય પગલાં લે તે જરૂરી- HC
નદીમાં પ્રદૂષણ મામલે હાઇકોર્ટે રાજ્ય સરકાર અને GPCBને આપ્યો ઠપકો
કોર્ટ મિત્રએ આપેલા અહેવાલ અને પાણીના નમૂના બાદ હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી
હાઈકોર્ટની નારાજગીમાં રાજ્ય સરકારે કહ્યું, CETP પ્લાન્ટનું કામ 90% પૂર્ણ થયું
અમદાવાદની સાબરમતી નદીને પ્રદૂષિત કરવાનો ખેલ હજી પણ યથાવત્ છે. હજુ પણ સાબરમતીમાં દૂષિત પાણી ઠલવાઇ રહ્યું છે. કેમિકલ યુક્ત અને ડ્રેનેજનું પાણી સાબરમતી નદીમાં ઠલવાઇ રહ્યું હોવાને લઈ હવે ગુજરાત હાઇકોર્ટ લાલચોળ થઈ છે. નદીમાં પ્રદૂષણ મામલે હાઇકોર્ટે રાજ્ય સરકાર અને GPCBને ઠપકો આપ્યો છે. આ સાથે કહ્યું છે કે, સરકાર યોગ્ય પગલાં લે તે જરૂરી છે.
સાબરમતી નદીને પ્રદૂષિત કરવાનો ખેલ યથાવત્
અમદાવાદની સાબરમતી નદીમાં અવાર-નવાર પ્રદૂષિત પાણી ઠલવાટુ હોવાનું ઘટના સામે આવતી હોય છે. જોકે હજી પણ સાબરમતી નદીને પ્રદૂષિત કરવાનો ખેલ યથાવત્ જ છે. જેને લઈ હવે ગુજરાત હાઇકોર્ટે પણ રાજ્ય સરકાર અને GPCBને ઠપકો આપ્યો છે. આ સાથે હાઇકોર્ટે કહ્યું છે કે, સાબરમતી નદીનું પાણી હજુ પણ પ્રદૂષિત છે તે મામલે સરકાર યોગ્ય પગલાં લે તે જરૂરી છે.
મહત્વનું છે કે, કોર્ટ મિત્રએ આપેલા અહેવાલ અને પાણીના નમૂના બાદ ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે, હજી પણ સાબરમતી નદીનું પાણી પ્રદૂષિત છે. જેથી રાજ્ય સરકાર અને GPCBને ઠપકો આપી આ મામલે સરકાર યોગ્ય પગલાં લે તે જરૂરી એવું કહ્યું હતું.
સરકારે શું કહ્યું ?
હાઇકોર્ટે સરકારને ઠપકો આપ્યા બાદ સરકારે પણ જવાબ આપ્યો હતો. સરકારે કહ્યું હતું કે, CETP પ્લાન્ટનું કામ 90% પૂર્ણ થયું છે. જોકે હવે બાકીની કામગીરી આગામી 6 મહિનામાં પૂર્ણ થશે. મહત્વનું છે કે, આગામી સુનાવણી 13 જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.
કેન્દ્ર સરકારે 2014માં 400 કરોડની ફાળવણી કરી હતી
અમદાવાદની સાબરમતી નદી પ્રદૂષિત થઇ રહી છે. કંપનીઓ દ્વારા નદીમાં બેફામ રીતે પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. સુએજ ફાર્મ વિસ્તારમાં કેટલીક કંપનીઓ નદીમાં પ્રદૂષિત પાણી છોડી રહી છે. અને પ્રદૂષિત પાણી નદીમાં છોડાતું હોવાનો AMCના વકીલે હાઇકોર્ટમાં અગાઉ સ્વીકાર પણ કર્યો હતો. સરકાર સાબરમતી નદીની જાળવણી માટે કરોડો રૂપિયા ખર્ચે છે. ગંગા નદી બાદ સાબરમતી નદીની જાળવણી માટે સૌથી વધુ રૂપિયા ફાળવાયા છે.
કેન્દ્ર સરકારે 2014માં સાબરમતી નદીની જાળવણી માટે 400 કરોડની ફાળવણી કરી છે. છતા પણ સ્થિતિ નથી સુધરી. તો મોટો સવાલ એ થાય છે કે સાબરમતીના જાળવણી ખર્ચના રૂપિયાનો દૂરપયોગ થયો છે અને કાં તો 400 કરોડની ગ્રાન્ટ કેન્દ્રએ મોકલાવી ખરી પણ તંત્ર તે કામને જમીન પર ઉતારવામાં તદ્દન નિષ્ફળ રહ્યું છે.
સળગતા સવાલ
સાબરમતી નદીમાં દૂષિત પાણી ઠલવાવાનું બંધ ક્યારે થશે?
કેમિકલ અને ડ્રેનેજના પાણીથી નદીને દૂષિક કોણ કરે છે?
સાબરમતીનું પાણી દૂષિત કરનારા વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે?
AMC અને રાજ્ય સરકાર દૂષિત પાણી ઠાલવનારાને સજા ક્યારે કરશે?