વિસનગરના ધારાસભ્યની ઓફીસમાં તોડફોડ કરવાના ગુનામાં કોર્ટે ફરમાવેલી સજાના હુક્મ સામે મનાઇ ફરમાવવા માટે હાર્દિક પટેલે અરજી કરી હતી. જે અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ રીટ અરજી પર બંને પક્ષોની દલીલો ગઇ કાલે પૂર્ણ થઇ હતી. સરકાર તરફથી લેખિત રજૂઆતો આપવામાં આવી હતી. હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂકાદા બાદ હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડી શક્શે નહી.
વિસનગરના ધારાસભ્યની ઓફીસમાં તોડફોડ કરવાના ગુનામાં કોર્ટે ફરમાવેલી સજાના હુક્મ સામે મનાઇ ફરમાવવા માટે હાર્દિક પટેલે અરજી કરી હતી. સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલ કરી હતી કે, સજાના હુક્મ સામે અસાધારણ સંજોગોમાં જ મનાઇહુક્મ આપવો જોઇએ. સ્ટે આપતાં પહેલાં કોર્ટે તમામ પાસાઓને ધ્યાનમાં લેવા જોઇએ. માત્ર જે કેસની વાત થાય છે તે પુરતું નથી. પણ આરોપીના ગુનાહીત ઇતિહાસને પણ ધ્યાને લેવા જોઇએ. હાર્દિકને કાયદાનો ડર ના હોય તે પ્રકારની વતર્ણૂક કરે છે. લોકશાહીમાં જાહેર જીવનમાં આવનારા લોકો સ્વચ્છ છબીવાળા હોવા જોઇએ. આવા લોકો લોક પ્રતિનિધિત્વ કરે તે લોકશાહી માટે સારી બાબત નથી.
લોકોની સેવા કરવા માટે લોક પ્રતિનિધિત્વ બનવાની જરૂર હોતી નથી. જન પ્રતિનિધિ બનવા માટે ધારાસભ્ય કે સાંસદ બનવું જરુરી નથી. મહાત્મા ગાંધી કયારેય ચૂંટણી લડયા ન હોતા. તો પણ તેઓ રાષ્ટ્રપિતા બન્યા હતા. સામાજીક પ્રતિનિધિ હોવાથી અને લોકસભા ચૂંટણી લડવી હોવાથી કોઇની સજાને સસ્પેન્ડ કરી શકાય નહીં. આ મામલામાં ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે, હાર્દિક પટેલ અગાઉ પણ બાહેધરી આપ્યા બાદ કાયદો તોડ્યો છે. તે માટે કાયદાનું પાલન જરૂરી છે. 2015માં વીસનગરમાં ધારાસભ્ય ઋષીકેશ પટેલની ઓફીસમાં તોડફોડ કરવાની ઘટનામાં હાર્દિક પટેલ પર વિસનગર કોર્ટે અગાઉ સજા ફરમાવી હતી. તે માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.