વકીલો પાસેથી સેન્ટ્રલ અને સ્ટેટ GST વિભાગથી લેવાતા સર્વિસ ટેક્સ પર હાઇકોર્ટે અટકાયત લગાવી દીધી છે.
રાજ્યના વકીલોને હાઇકોર્ટે આપી રાહત
GST દ્વારા વકીલોને સર્વિસ ટેક્સની માંગણી કરતા HCમાં અરજી
વકીલોને GST પર હાઈકોર્ટનો મનાઈ હુકમ
GST વિભાગે અગાઉ ઈન્કમટેક્સ ડેટામાંથી માહિતી મેળવી તેના પર ભરવા પાત્ર સર્વિસ ટેક્સ ભર્યો છે કે નહીં તે માટે ઈન્કમટેક્સ વિભાગે નોટિસ મોકલી વકીલોને જવાબ રજૂ કરવાનો તેમજ યોગ્ય પુરાવા આપવાનો આદેશ પારિત કર્યો હતો જે બાદ GSTની નોટિસ સામે હાઇકોર્ટ વકીલ એસો.એ કોર્ટમાં અરજી કરી હતી. આજે હાથ ધરાયેલી સુનાવણીમાં સેન્ટ્રલ અને સ્ટેટ GST વિભાગથી લેવાતા ટેક્સ પર હાઇકોર્ટેની અટકાયત લગાવી દીધી છે.
વકીલોએ સર્વિસ ટેક્સ ભરવાનો થતો નથી: અરજી કરનાર વકીલો
રાજ્યના વકીલોને હાઇકોર્ટે મોટી રાહત આપી છે. GST નોટિસ સામે હાઇકોર્ટે વચગાળાનો હુકમ કર્યો છે જેથી હાલ વકીલો પાસેથી સેન્ટ્રલ અને સ્ટેટ GST વિભાગથી લેવાતા સર્વિસ ટેક્સ પર રોક લગાવવામાં આવી છે. GST વિભાગે ઘણા વકીલોને GSTમાં સર્વિસ ટેક્સ ભરવાને લઈને નોટિસ પાઠવી હતી. સામે પક્ષે વકીલોનું કહેવું છે કે વકીલોએ સર્વિસ ટેક્સ ભરવાનો થતો નથી કારણ કે કોઈ અન્ય કંપની કે એજન્સી થ્રુ તેમના તરફથી કેસ લડે છે જે પહેલાથી જ GST ચૂકવી રહી છે.
રાજ્યના હજારો વકીલોને મોટી રાહત
જસ્ટિસ જે.બી પારડી વાલા અને જસ્ટિસ નિશા ઠાકોરની ખંડપીઠ સમક્ષ હાથ ધરવામાં આવેલી અરજીની સુનાવણીમાં વકીલો પર સેન્ટ્રલ અને સ્ટેટ GST વિભાગથી લેવાતા ટેક્સ પર હાઇકોર્ટે વચગાળાનો હુકમ કર્યો છે. અને ટેક્સ ઉઘરાવવા પર કોર્ટે અટકાયત લગાવી દીધી છે જેથી રાજ્યના હજારો વકીલોને મોટી રાહત થઈ છે.
કોઈ કંપની કે મોટી એજન્સી તરફથી વકીલ કેસ લડતા હોય તો પણ GST ન ભરવો પડે
ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત કરતાં વકીલોને GST વિભાગ તરફથી ફટકારેલી નોટિસને પડકારવામાં આવી હતી. જો કોઈ વકીલ કોઈ વ્યક્તિગત બાબતને વ્યક્તિનો કેસ લડતો હોય તો, GST લાગવાનો કે GST ઉઘરાવવાનો કોઇ સવાલ કાયદામાં આવતો નથી. પણ અહી કોઈ કંપની કે મોટી એજન્સીના કેસની વાત આવે છે, ત્યારે તેમાં જીએસટીના નિયમ લાગૂ પડે છે, પરંતુ તે સીધી રીતે એડવોકેટ પર લાગૂ પડતો નથી, જે તે કંપની કે એજન્સીએ ભરપાઈ કરવાની હોય છે. જો તે GST ન ભરે તો કાયદાની જોગવાઈ પ્રમાણે કંપની કે એજન્સી સામે કાર્યવાહી થાય પરંતુ વકીલ સામે કોઈ કાર્યવાહી થઈ ન શકે આ અંગે જે-તે કંપની કે એજન્સીએ GST ભરપાઈ કરવાની હોય છે.