પૂર્વ IPS સંજીવ ભટ્ટની FIR કોપીની માંગણી કરતી અરજીને હાઈકોર્ટે રાખી ગ્રાહ્ય. હાઈકોર્ટે આપ્યા આદેશ,9 મહિનાના સમયગાળામાં પૂર્ણ કરો સુનાવણી.હવે સપ્તાહમાં બે દિવસ ચાલશે સુનાવણી
સંજીવ ભટ્ટના કેસ મામલે HCનો આદેશ
કેસની ટ્રાયલ 9 મહિનામાં પૂરી કરવા હુકમ
સપ્તાહમાં બે વાર ચાલશે સુનાવણી
ગુજરાતમાં થયેલા ગોધરા કાંડ બાદ સતત રાજ્ય સરકારની કામગીરી સામે સવાલો કરતા રહેતા IPS સંજીવ ભટ્ટ મુદ્દે ગુજરાત હાઈ કોર્ટે એક મહત્વનો આદેશ આપ્યો છે.1996નાં સમય ગાળાનાં NDPS ના એક કેસની ટ્રાયલ 9 મહિનામાં પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. આ કેસની સુનાવણી સપ્તાહમાં બે વાર ચાલશે.
શું હતો કેસ ?
પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ જ્યારે બનાસ કાંઠાના પોલીસ અધિક્ષક હતા ત્યારે તેમણે એક કેસમાં રાજસ્થાનના પાલી ખાતે રહેતા વકીલ સુમેરસિંહ રાજપુરોહિતની ધરપકડ પાલનપુરની એક હોટેલમાંથી કરી હતી. પોલીસના તે સમયના રિપોર્ટ અનુસાર રાજ પુરોહિતના રૂમમાંથી 1 કિલો અફીણ મળી આવ્યું હતું. દરમિયાન પોલીસે કરેલી ઓળખ પરેડમાં સ્થાનિક હોટેલ માલિક રાજપુરોહિતને ઓળખી શક્યા નહોતા. આ બાદ પોલીસે તાત્કાલીક તેમના ડિસ્ચાર્જ માટે ખાસ કોર્ટમાં રિપોર્ટ મૂક્યો હતો. આ રિપોર્ટને કોર્ટે એક અઠવાડિયા બાદ મંજૂર રાખ્યો હતો. આ ઘટના બાદ, બનાવ વખતે તેઓ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ રહેલા જસ્ટિસ આર.આર.જૈન વિરુદ્ધ રાજસ્થાનના પાલીમાં ફરિયાદ નોંધાવી હતી. રાજપુરોહિતનો આરોપ હતો કે પાલી ખાતેની જસ્ટિસની બહેનની દુકાન ખાલી કરાવવા બનાસકાંઠા પોલીસે તેનું અપહરણ કર્યું હતું. આ બનાવ વખતે સંજીવ ભટ્ટ બનાસકાંઠાના પોલીસ SP હતા. બાદ રાજસ્થાન પોલીસે આ કેસમાં તપાસ કરતા જસ્ટિસ જૈન,સંજીવ ભટ્ટ અને અન્ય લોકોના કોલ રેકોર્ડ તપાસ્યા હતા. આ કેસમાં સંજીવ ભટ્ટે FIRના કાગળોની કોપી લેવાની કરેલ અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને સપ્તાહમાં બે વાર પાલનપુર કોર્ટમાં સુનાવણી થશે.કોર્ટે,9 મહિનામાં સુનાવણી પૂર્ણ કરવા આદેશ કર્યો છે.