કોરોનાની રસી બીજા દેશોમાં આપવાને લઈને દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે સખ્ત ટિપ્પણી કરી છે.
સીરમ રસીને લઈને પોતાની ઉત્પાદન ક્ષમતાનો ખુલાસો કરે- કોર્ટ
આ મામલામાં જવાબદારીની ભાવના હોવી જોઈએ
આપણે કોરોનાની રસી બીજા દેશોને દાન કરી રહ્યા છીએ અથવા વેચી રહ્યા છીએ
સીરમ રસીને લઈને પોતાની ઉત્પાદન ક્ષમતાનો ખુલાસો કરે- કોર્ટ
કોર્ટે કહ્યું કે દેશમાં પોતાના લોકોનું રસીકરણ નથી થઈ રહ્યું અને આપણે કોરોનાની રસી બીજા દેશોને દાન કરી રહ્યા છીએ અથવા વેચી રહ્યા છીએ. કોર્ટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકને નિર્દેશ આપ્યો છે કે તે કોવિશીલ્ડ અને કોવૈક્સીન રસીને લઈને પોતાની ઉત્પાદન ક્ષમતાનો ખુલાસો કરે.
આ મામલામાં જવાબદારીની ભાવના હોવી જોઈએ
જસ્ટિસ વિપિન સાંધી અને જસ્ટિસ રેખા પલ્લીની બેચે કહ્યું કે બન્ને સંસ્થાનોની પાસે વધારે પ્રમાણમાં રસી ઉપલબ્ધ કરાવવાની ક્ષમતા છે. પરંતુ એવું લાગે છે કે તેઓ તેનો પુરો ફાયદો નથી ઉઠાવી રહ્યા. આ મામલામાં જવાબદારીની ભાવના હોવી જોઈએ.
કોર્ટને કહ્યું...
અદાલતે કેન્દ્ર સરકારને કહ્યું કે રસી મેળવવા માટે વર્ગીકરણનું શું કારણ છે જણાવો. ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ ચરણબદ્ધ રીતે રસીકરણને મંજૂરી આપી છે. આ અંતર્ગત પહેલા ચરણમાં ફ્રન્ટલાઈન વર્કર્સનું રસીકરણ કરવામાં આવ્યું. બીજા તબક્કામાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 45 વર્ષથી 60 વર્ષની ઉંમરના તે લોકોને રસી આપવામાં આવી રહી છે. જેમને પહેલાથી કોઈ ગંભીર બિમારી છે. કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે તે કોર્ટ કૈમ્પર્સોમાં ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓનું નિરિક્ષણ કરે અને જણાવે કે શું રસીકરણ કેન્દ્ર સ્થાપિત કરી શકાય છે.