પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પારિવારીક કોર્ટના એ આદેશને પડકાર આપતી એક વ્યક્તિની ફેરવિચારણા અરજીને રદ કરતા કહ્યું કે, ભલે પત્ની કમાતી હોય, પતિ તેને કાયદાકીય રીતે અને નૈતિક રીતે ભરણપોષણ આપવા માટે બંધાયેલો છે.
હાઈકોર્ટનો મોટો ચુકાદો
પતિ-પત્નીના સંબંધોને લઈને કોર્ટનો મોટો નિર્ણય
ભરણપોષણ પર આપ્યો આ ચુકાદો
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પારિવારીક કોર્ટના એ આદેશને પડકાર આપતી એક વ્યક્તિની ફેરવિચારણા અરજીને રદ કરતા કહ્યું કે, ભલે પત્ની કમાતી હોય, પતિ તેને કાયદાકીય રીતે અને નૈતિક રીતે ભરણપોષણ આપવા માટે બંધાયેલો છે.
પત્નીએ ભરણપોષણની રાખી હતી ડિમાન્ડ
અરજીકર્તાએ 7 ડિસેમ્બર 2018ના રોજ મોગા જિલ્લા ન્યાયાધીશ દ્વારા પસાર કરવામાં આવેલા આદેશને પડકાર આપતા ફેરવિચારણા અરજી દાખલ કરી હતી. જેમાં પત્નીને દર મહિને 3500 રૂપિયા અને સગીર દિકરીને 1500 રૂપિયા દર મહિને પોષણ તરીકે આપવાનો આદેશ આપ્યો હતો.
અરજીકર્તા અનુસાર, તેના 29 એપ્રિલ 2017ના રોજ લગ્ન થયા હતા અને તેમની દિકરીનો જન્મ માર્ચ 2018માં થયો હતો. તે પોતાની માતાની સાથે રહે છે. તેણે કહ્યું કે, પત્નીના ઝઘડાખોર સ્વભાવના કારણે તે અલગ રહેવા લાગ્યો.
પત્ની શિક્ષિકા છે, પતિ બેરોજગાર છે
અરજીકર્તાએ તર્ક આપ્યો હતો કે, તેની પત્ની એમએ, બીએડ છે અને એક શિક્ષિકા છે. જેના માટે તેને સારૂ એવું વેતન પણ મળે છે, જ્યારે કોરોનાના કારણે તેની નોકરી જતી રહી અને તે હાલમાં તેના પિતા પર નિર્ભર છે.
ભરણપોષણ આપવા પતિ બંધાયેલો છે
જસ્ટિસ રાજેશ ભારદ્વાજની ખંડપીઠે કહ્યું કે, માનનીય સુપ્રીમ કોર્ટના આદેશને જોતા આ સારી રીતે સ્થાપિત કાયદો છે કે, ભલે પત્ની કમાતી હોય, પતિ કાયદાકીય રીતે અને નૈતિક રીતે તેને ભરણપોષણ આપવા બંધાયેલો છે.