લવ જેહાદ કાયદા મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો
સેક્સન 5 પર કરેલા હુકમ મુદ્દે સ્ટેની સરકારની માંગ ફગાવી
પાસા મામલે ગુજરાત હાઇકોર્ટની સરકારની ટીકા
"બિનગુજરાતીઓની વ્યવસ્થામાં સરકાર નિષ્ફળ"
ગુજરાત હાઈકોર્ટે લવજેહાદ અને પાસા એક્ટની અમલાવારી મુદ્દે સરકારનો ઉધડો લીધો છે. લવ જેહાદ અંગે કોર્ટે કરેલા હુકમ પર સરકાર તરફથી એડવોકેટ જનરલે સ્ટેની માંગ કરી હતી જેનો હાઈકોર્ટે દ્વારા આજ ચુકાદો આપી ક્સન 5 પર કરેલા હુકમ મુદ્દે સ્ટે ની સરકારની માંગને હાઇકોર્ટે ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે કોઈ ભૂલ ન કરતા ઓર્ડરમાં સુધારો કરવાનો ઈન્કાર કર્યો તેમજૂ કહ્યું કે સેક્સન 5 યથાવત રહેશે યથાવત રહેશે. મહત્વનું છે કે લગ્નના હેતુ માટે ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટની કલમો 3, 4, 4A થી 4C, 5, 6, 6A ની કલમો મુજબ લવ જેહાદનો કાયદાની અમલવારી થઈ રહી છે, જેમાંથી સેક્સન 5 ને લગ્ન સાથે કોઈ લેવા-દેવા નથી તેવી રજૂઆત કરી એડવોકેટ જનરલ દ્વારા લવ જેહાદની આ કલમ પર સ્ટે હટાવવા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી જેનો કોર્ટ સાફ ઈન્કાર કરી કલમ 5 ઉપર સ્ટે રાખવાની માગ માન્ય રાખી નથી
લોકડાઉનમાં સરકાર પરપ્રાંતિયોની વ્યવસ્થામાં નિષ્ફળ રહી : હાઈકોર્ટ
તો બીજી તરફ પાસા એક્ટના દૂરપયોગ મામલે ગુજરાત હાઇકોર્ટની સરકારની આકરી ટીકા કરી છે. લોકડાઉનમાં સરકારની કામગીરી સામે HCએ ચોખ્ખી નારાજગી દર્શાવતા કહ્યું છે કે બિનગુજરાતીઓની વ્યવસ્થામાં સરકાર નિષ્ફળ રહી છે. વ્યવસ્થામાં નિષ્ફળ રહેલી સરકારે પરપ્રાંતિયો સામે FIR નોંધી છે. તેમજ સરકારની ઝાટકણી કાઢતા ઉમેર્યું કે હવે સરકાર પાસાની ધમકી આપતી થઇ છે. જે ગેરવ્યાજબી છે. પાસા એક્ટના ખોટા ઉપયોગ પર આ અગાઉ પણ હાઈકોર્ટ સરકાર અને પોલીસનો ઉધડો લઈ ચૂકી છે ત્યારે હવે નેવાનું પાણી મોભારે ચડતા એક જ દિવસમાં HCએ પાસાના હુકમ રદ કરી 33 અરજીઓનો નિકાલ કર્યો અને ક જ દિવસમાં 33 પાસાના હુકમો એક ઝાટકે રદ કર્યા છે.
પાસા એક્ટની ખોટી અમલવારી પર 15 દિવસમાં ત્રણ વખત સરકારની કાઢી ઝાટકણી
આ અગાઉ પાસા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો.. હાઈકોર્ટે સરકારે આકરા સવાલો પૂછયા હતા. હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે કે, નકલી રેમડેસિવિર વેચનારા આરોપી વિરૂદ્ધ પાસા અંતર્ગત કાર્યવાહી કરાઈ પરંતુ ઉત્પાદકો સામે કાર્યવાહી ક્યારે ? હાકાયદો બધા જ માટે સમાન છે.. શા માટે ઉત્પાદકો સામે સરકાર પગલાં લેતી નથી? તેમજ કેસની સુનાવણી વખતે હાઇકોર્ટે કોરોનાકાળની સરકારની કામગીરી યાદ અપાવી નારાજગી પણ વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, યાદ કરો ગત વર્ષે પરપ્રાંતીયોને જેલમાં પૂર્યા હતા.. પરપ્રાંતિયો પાસે પૈસા ન હતા. પરપ્રાંતિયોના બાળકો માટે ખાવાનું પણ ન હતું તો બીજી તરફ થોડા દિવસ અગાઉ જ GST ન ભરતા વેપારીઓ પર પાસા એક્ટ ઢોકી દેવાતા હાઈકોર્ટ અધિકારીઓ પર લાલઘૂમ થઈ હતી. મહત્વનું છે કે GST અને CGST કાયદા હેઠળ પાસા ન કરવા વેપારીઓએ કોર્ટમાં અરજી કરી હતી જેની સુનાવણી વખતે કોર્ટના સવાલો પર અધિકારીઓનું મૌન રહ્યા હતા. ત્યારે વારંવાર હાઈકોર્ટની ટકોર છતાંય ગુજરાતમાં પાસા એક્ટ અને લવજેહાદના કાયદાનો દૂરપયોગ થઈ રહ્યો છે.