ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો કેસમાં એડવોકેટ એસોસિયેશન દ્વારા કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોનાનો કહેર
HC એડવોકેટ એસો.એ સૂચનો કર્યા રજૂ
RT-PCR ટેસ્ટિંગને લઈને કર્યા સૂચનો
HC એડવોકેટ એસો.એ HC સમક્ષ રજૂ કર્યા મહત્વપૂર્ણ સૂચનો
ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી મામલેમ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. HC એડવોકેટ એસો.એ HC સમક્ષ ગુજરાતની કોરોના વાયરસની પરિસ્થિતિ મુદ્દે સૂચનો રજૂ કર્યા છે.
સુરેન્દ્રનગર, ગોધરા, નર્મદામાં સ્થિતિ ગંભીર
HC એડવોકેટ એસો.એ HC સમક્ષ જે સૂચન રજૂ કર્યા છે તેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કોરોના વાયરસની પરિસ્થિતિ બેકાબૂ થઈ ગઈ છે અને આદિવાસી વિસ્તારોમાં ટેસ્ટિંગ, યોગ્ય સારવારનો અભાવ છે.
એડવોકેટ એસોસિયેશન અનુસાર રાજ્યમાં સુરેન્દ્રનગર, ગોધરા, નર્મદા વ્યારા, પાલનપુર, છોટાઉદેપુરમાં સ્થિતિ ગંભીર છે. ગુરજાતના ગ્રામ્ય વિસ્તારોમાં PHC સેન્ટર છે પરંતુ નિષ્ણાત ડૉક્ટરો નથી, સુરેન્દ્રનગરના ગામડાઓની હોસ્પિટલમાં વેન્ટિલેટરનો અભાવ છે.
તાલુકા ક્ષેત્રે માત્ર દિવસ ના 50 એન્ટીજન ટેસ્ટ જ થાય છે
હાઇકોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાલુકા લેવલ પર માત્ર 50 જ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને છોટા ઉદેપુરમાં સીટી સ્કેન સેન્ટરનો પણ અભાવ છે એવામાં સવાલ થાય છે કે પાયાની સુવિધાઓ વગર ગુજરાત કોરોના સામે કેવી રીતે લડશે?
સુરેન્દ્રનગરના કલેકટરના નિર્ણયનો ઉલ્લેખ
એડવોકેટ એસોસિયેશને કહ્યું કે ધન્વંતરિ રથની કામગીરી પણ ઓછી જોવા મળી રહી છે તથા સુરેનદ્ર નગર કલેકટર દ્વારા કલેકટર ઓફીસમાં કામ કરતા કર્મચારી અને અધિકારીઓને પહેલા ટ્રીટમેન્ટ આપવામાં મનસ્વી નિર્ણયનો પણ ઉલ્લેખ હાઇકોર્ટમાં કરવામાં આવ્યો છે.