હાથરસ કાંડમાં પીડિતાને ઘરે અલગ અલગ પક્ષના નેતાઓ પીડિતાના પરિવારને મળી રહ્યા છે. એવામાં ઉલ્ટી ગંગા જેવો એક અહેવાલ સામે આવ્યો છે.
પીડિતાના ઘરની નજીક એક સવર્ણોની બેઠક યોજાઈ હોવાનો અહેવાલ સામે આવ્યો છે. NDTVના અહેવાલ અનુસાર આ બેઠક ભાજપના નેતા રાજવીરસિંહ પહેલવાનના ઘરે યોજાઈ હતી. આ બેઠકમાં એક આરોપીનો પરિવાર પણ સામેલ હોવાના સમાચાર છે.
આ બેઠકમાં આરોપીઓને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે બેઠકના એક આયોજકે એવું કહ્યું હતું કે અમે આ બેઠક અંગે પોલીસને પણ જાણ કરી હતી. પીડિતાના પરિવાર સામે પણ FIR થવી જોઈએ. આયોજકોનો દાવો છે કે આરોપીઓને નિશાન બનાવવામાં આવ્યા છે અને તેમને ન્યાય મળવો જોઈએ.
નોંધનીય છે કે આ પહેલા પણ આ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ઉપર પીડિતાના પરિવારને ધમકાવવાનો આરોપ છે. આ અંગે માયાવતીએ ટ્વીટ કરીને યોગી આદિત્યનાથ ઉપર પગલાં ન લેવા મુદ્દે હુમલો કર્યો હતો.
हाथरस गैंगरेप काण्ड के पीड़ित परिवार ने जिले के डीएम पर धमकाने आदि के कई गंभीर आरोप लगाए हैं, फिर भी यूपी सरकार की रहस्मय चुप्पी दुःखद व अति-चिन्ताजनक। हालाँकि सरकार CBI जाँच हेतु राजी हुई है, किन्तु उस डीएम के वहाँ रहते इस मामले की निष्पक्ष जाँच कैसे होे सकती है? लोग आशंकित।