બદલાતી જીવનશૈલીને પગલે મોટાભાગના લોકો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે. એવામાં હાઈ બીપીને કંટ્રોલમાં રાખવા માટે તમામ પદ્ધતિ અપનાવી રહેલા લોકો માટે કાળા મરી પણ ફાયદાકારક છે. કાળા મરીનો ઉપયોગ કરીને તમે બ્લડ પ્રેશર કંટ્રોલમાં લાવી શકો છો.
કાળા મરીનો કેટલો ઉપયોગ કરશો તો બીપી રહેશે નિયંત્રણમાં
કાળા મરીના સેવનથી કોલેસ્ટ્રોલ પણ રહેશે નિયંત્રણમાં
આ ઘરગથ્થુ ઉપચાર છે, પરંતુ તેના ફાયદાથી તમે તમારી હેલ્થને ફીટ રાખી શકો છો. તો આવો જાણીએ કે કેવીરીતે કાળા મરીનો ઉપયોગ કરી શકો છો અને આ સિવાય બીજા કયા-કયા ફાયદા છે.
કાળા મરીનો કરો આ રીતે ઉપયોગ
કહેવામાં આવે છે કે બ્લડ પ્રેશર હાઈ થવાથી 1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી કાળા મરીનો પાઉડર નાખીને પીવો. તો તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જશે. આ ઉપરાંત તમે 2 કાળા મરીને પીસીને 1 ગ્લાસ પાણીમાં પી શકો છો. ઉલ્લેખનીય છે કે કાળા મરીમાં રહેલ પાઈપરાઈન દવાની જેમ કામ કરે છે.
કાળા મરીના સેવનથી થશે આ ફાયદા
બ્લડ પ્રેશર કંટ્રોલ કર્યા સિવાય તમારા હાર્ટ માટે પણ ફાયદાકારક છે. જેનાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.
વજન ઘટાડવામાં પણ કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે છે. જેનુ સેવન તમે શાકભાજી અથવા ભાતમાં નાખીને ઉપયોગ કરી શકો છો.
કબજીયાત અને અપચામાં પણ કાળા મરી ફાયદાકારક છે. એટલેકે જે લોકોને પેટ સંબંધિત સમસ્યા હોય છે, એવા લોકોએ તેનુ સેવન આવશ્ય કરવુ જોઈએ.
તણાવ દૂર કરવા માટે પણ તમે કાળા મરીનો ઉપયોગ કરી શકો છો.
અસ્થમા અને પાઈલ્સમાં પણ કાળા મરીનો ઉપયોગ વધુ લાભકારક છે. એટલેકે નાનામાં નાના દેખાતા કાળા મરીના અઢળક ફાયદા છે.