ટાઈપ-1 અને ટાઈપ-2 ડાયાબિટીઝ પીડિતોને હેલ્ધી અને લાંબા જીવન માટે બ્લડ પ્રેશર લેવલને મેનેજ કરવું પણ ખૂબ જરૂરી છે.
ડાયાબિટીસના દર્દીઓમાં આ ખતરો વધારે
બ્લડ પ્રેશર બની શકે મોતનું કારણ
જાણો તેના વિશે વધુ વિગતે
ડાયાબિટીસને સાઈલેન્ટ કિલર કહેવામાં આવે છે અને તે એક એવી ઘાતક બિમારી છે જેમાં બ્લડ શુગર લેવલને સતત મોનિટર કરવું ખૂબ જ જરૂરી છે. ટાઈપ-1 અને ટાઈપ-2 ડાયાબિટીસના પીડિતોને હેલ્દી અને લાંબા જીવન માટે બ્લડ પ્રેશર લેવલને મેજર કરવું ખૂબ જરૂરી છે. આ સમસ્યા ડાયાબિટીઝ દર્દીઓના મોતનું કારણ બની શકે છે.
અમેરિકન હાર્ટ એસોસિએશના 'હાઈપરટેન્શન સાઈન્ટિફિક સેશન 2021'માં પ્રસ્તુત 21 વર્ષની એક સ્ટડી અનુસાર, રાતના સમયે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન ડાયાબિટીસ દર્દીઓના મોતનો ખતરો એ લોકોના મુકાબલે બે ઘણો વધારે હોય છે જેમનું બ્લડ પ્રેશર રાતમાં સ્થિર અથવા ઓછું હોય છે.
ડોક્ટર્સ કહે છે કે કાતના સમયે સુતી વખતે આપણું બ્લડ પ્રેશર લેવલ ઘટી જાય છે. સુતી વખતે બ્લડ પ્રેશરન ઘટે તો તેને 'નોન ડિપિંગ' કહે છે. પરંતુ રાતના સમયાં બ્લડ પ્રેશર લેવલ દિવસ કરતા પણ વધારે ઉપર જતું રહે તો તેને 'રિવર્સ ડિપિંગ' કહેવામાં આવે છે. આ અસામાન્ય બ્લડ પ્રેશર પેટર્ન દિલ સાથે જોડાયેલી બિમારીઓના જોખમને વધારે છે અને ટાઈપ-1 અને ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓના મોતનું કારણ બની શકે છે.
યુનિવર્સિટી ઓફ પીસા મેડિસિન ઈનવેસ્ટિગેટર માર્ટિના શિરિયાકો કહે છે, "અમારી સ્ટડી જણાવે છે કે 10માંથી એક ડાયાબિટીસ રોગી રિવર્સ ડિપિંગનો શિકાર હોય છે. આ કંડીશનમાં બ્લડ પ્રેશર કંટ્રોલની ચિંતા ન કરનાર ડાયાબિટીસ દર્દીઓમાં મોતનો ખતરો લગભગ બે ઘણો હોઈ શકે છે. તેના માટે ડાયાબિટીસ દર્દીઓને અસામાન્ય બ્લડ પ્રેશર લેવલ વિશે ડોક્ટર્સને જરૂર જણાવવું જોઈએ."
પિસામાં 349 ડાયાબિટીસ દર્દીઓ પર વર્ષ 1999માં શરૂ થયેલી સ્ટડીમાં અડધાથી વધારે લોકો નોન ડિપિંગ બ્લડ પ્રેશરનો શિકાર મળ્યા હતા. જ્યારે 20 લોકો એવા પણ હતા જેમને રિવર્સ ડિપિંગની ફરિયાદ હતી. તેમણે જાણ્યું કે રિવર્સ ડિપના લગભગ એક તૃત્યાંશ દર્દીઓને કાર્ડિએક એટોનોમિક ન્યુરોપેથીની ફરિયાદ હતી. આ ડાયાબિટીસમાં થતી એક બિમારી છે. જેમાં હાર્ટ અને નસને કંટ્રોલ કરનાર નસ ડેમેજ થઈ જાય છે.