ગુપ્તચર વિભાગને મળેલા અહેવાલ મુજબ કેરળમાં આતંકી હુમલાની આશંકા છે. કેરળમાં આતંકી હુમલાની શક્યતાને લઈને હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંદર જેટલા આતંકીઓ શ્રીલંકાના દરિયાઈ માર્ગેથી કેરળમાં ઘૂસણખોરી કરી શકે છે.
તો અલર્ટ બાદ રાજ્યના 72 પોલીસ સ્ટેશનના વડાઓને પણ નિર્દેશ આપી દેવામાં આવ્યો છે. બીજી તરફ, સ્થાનિક પોલીસ કરેળમાં વિવિધ લોજ, રેસ્ટોરન્ટ અને હોટલ્સમાં પણ તપાસ કરી રહી છે. સાથો સાથ પોલીસે માછીમારો અને સ્થાનિકોને પણ અલર્ટ કર્યા છે.
અધિકારીઓને પણ તટીય વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ માટે આદેશ આપી દેવામા આવ્યા છે. જેથી એવી શક્યતા છે કે ગુપ્તચર વિભાગનો અહેવાલ સાચો છે. પરંતુ પોલીસ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી.
તો બીજી તરફ, ભારતીય તટ રક્ષક બળ અને ભારતીય નૌસેનાને પણ અલર્ટ કરી દેવામાં આવી છે. પોલીસના એક સુત્રનું કહેવું છે કે પોલીસ 23મેથી જ અલર્ટ પર છે. કારણ કે એ જ દિવસે શ્રીલંકામાંથી સૂચના મળી હતી.