મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય અસ્થિતરનાને ધ્યાને લઈને મહારાષ્ટ્ર પોલીસે થાણે અને મુંબઈમાં આગામી30 જૂન સુધી જિલ્લામાં કોઈપણ પ્રકારની રાજકીય સરઘસ, એકત્રીકરણ અથવા સૂત્રોચ્ચાર પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે.
Maharashtra | Security heightened outside the residence of rebel Shiv Sena leader Eknath Shinde, in Thane. He is currently staying at Radisson Blu Hotel in Guwahati, Assam, along with other rebel MLAs of the state. pic.twitter.com/hvY2pw213a
થાણેમાં એકનાથ શિંદેના ઘરની બહાર સુરક્ષા વધારી દેવાઈ
મહારાષ્ટ્રના થાણેમાં શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેઓ હાલમાં રાજ્યના અન્ય બળવાખોર ધારાસભ્યો સાથે આસામના ગુવાહાટીમાં રેડિસન બ્લુ હોટેલમાં રોકાયા છે.
All Police stations in Maharashtra, especially those in Mumbai, have been ordered to remain on high alert. Police received info that Shiv Sainiks can take to the streets in large numbers. To ensure that peace prevails, Police have been asked to remain alert: Maharashtra Police pic.twitter.com/V8QGL0NRYR
મહારાષ્ટ્રના તમામ પોલીસ સ્ટેશનો, ખાસ કરીને મુંબઈના પોલીસ સ્ટેશનોને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. પોલીસને માહિતી મળી હતી કે શિવસૈનિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી શકે છે. શાંતિ પ્રવર્તે તે સુનિશ્ચિત કરવા માટે, પોલીસને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે
Maharashtra | In view of the ongoing political instability in the state, Thane District Administration has issued an order banning any kind of political procession, gathering or sloganeering in the dist till June 30
Thane Police has currently imposed Sec 144 CrPC in Thane city.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય અસ્થિતરનાને ધ્યાને લઈને મહારાષ્ટ્ર પોલીસે થાણે આગામી 30 જૂન સુધી જિલ્લામાં કોઈપણ પ્રકારની રાજકીય સરઘસ, એકત્રીકરણ અથવા સૂત્રોચ્ચાર પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે.
પૂણેમાં એક ધારાસભ્યની ઓફિસમાં શિવસેનાના કાર્યકરોએ ભયંકર તોડફોડ
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મહા વિકાસ આઘાડી સરકાર સહિત પક્ષને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.તે સાથે જ બળવાખોર ધારાસભ્યો સામે શિવસેનાના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે પુણેમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં એ શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરી હતી. આ દરમિયાન કાર્યકરોએ ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી બાજુ અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા વીડિયો શેર કર્યો અને કહ્યું કે, 'મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ'.
શું છે સમગ્ર ઘટનાક્રમ?
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેથી નારાજ થઈને તેમની પાર્ટીના દિગ્ગજ નેતા એકનાથ શિંદે અમુક ધારાસભ્યોને લઈને સુરત જતાં રહ્યા, ત્યાંથી ગુવાહાટી ગયા. તેઓ વિદ્રોહ કરીને ગુવાહાટી ગયા તે બાદ પણ અનેક ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા અને ધીમે ધીમે ઉદ્ધવ ઠાકરેનું સમર્થન ઓછું થતું ગયું. એક સમય એવો આવ્યો કે ઉદ્ધવ ઠાકરેની બેઠકમાં માત્ર 13 ધારાસભ્યો જ હાજર રહ્યા હતા. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી નિવાસ છોડ્યું અને બેથી ત્રણ વાર કાર્યકરોને ઈમોશનલ અપીલ કરી હતી. એક બાદ એક બેઠકોનો દોર યથાવત છે અને સરકાર પર તલવાર લટકી રહી છે. રાજ્યની જનતાને એક જ પ્રશ્ન છે કે શું વર્તમાન સરકાર પડી જશે? શું કોઈ નવી સરકાર બનશે?
સંજય રાઉતે કહ્યું, રસ્તા પર આગ લાગી જશે
આ અગાઉ આજે જ સંજય રાઉતે ફરી એક વાર બળવાખોર ધારાસભ્યોને ઈશારામાં ધમકી આપી દીધી છે. તેમણે કહ્યુ કે, શિવસૈનિકોએ ધૈર્ય રાખ્યું છે, નહીંતર શહેરોમાં આગ લાગી જાય. એટલા માટે આપને કહી રહ્યા છીએ કે, પાછા આવી જાવ. સંજય રાઉતે એકનાથ શિંદે જૂથના સંદર્ભમાં કહ્યું છે કે, તેઓ જે દાવા કરી રહ્યા છે, તેમને કરવા દો. નંબર્સમાં કોની પાસે કેટલી તાકાત છે, તે ફ્લોર પર દેખાશે. હું સીએમ ઉદ્ધવ ઠાકરે તરફથી બોલી રહ્યો છું, તે યાદ રાખજો.