અયમાન અલ-ઝવાહિરીની હત્યા બાદ ભારતમાં હાઈ એલર્ટ જાહેર કરાયું
દેશના અનેક સ્થળોએ આતંકી હુમલાની ધમકીઓ મળી: સૂત્રો
અમેરિકાએ દાવો કર્યો છે કે, તેણે આતંકી સંગઠન અલકાયદાના આતંકવાદી અયમાન અલ-જવાહિરીને ડ્રોન હુમલામાં માર્યો ગયો છે. આ તરફ હવે ભારતમાં પણ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં CIAના ડ્રોન દ્વારા જવાહિરીને ઠાર કરવામાં આવ્યો છે. કેટલાક મીડિયા અહેવાલોમાં પણ એ વાત સામે આવી છે કે, અલ-કાયદાનો આતંકવાદી અયમાન અલ-જવાહિરી અફઘાનિસ્તાનમાં સપ્તાહના અંતે યુએસ સ્ટ્રાઈકમાં ઠાર મરાયો છે.
ભારતમાં હાઈએલર્ટ જાહેર
અફઘાનિસ્તાનના કાબુલમાં આતંકવાદી સંગઠન અલ કાયદાના આતંકવાદી અયમાન અલ-ઝવાહિરીની હત્યા બાદ ભારતમાં પણ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઈન્ટેલિજન્સ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણી જગ્યાએ આતંકી હુમલાના ખતરાને જોતા હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓ હાલમાં જ આસામમાંથી ઝડપાયેલા અલ કાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટના 11 આતંકવાદીઓની પૂછપરછ કરી રહી છે.
Ayman-al-Zawahiri, from eye surgeon to most wanted terrorist
દેશના અનેક સ્થળોએ આતંકી હુમલાની ધમકીઓ મળી છે. અલ-કાયદાના આતંકવાદી અયમાન અલ-ઝવાહિરીના ખાત્મા બાદથી તાલિબાન અને અલ-કાયદા સક્રિય થવાની આશંકા છે. અમેરિકાએ કાબુલમાં એક ઘર પર ડ્રોન હુમલામાં અયમાન અલ-ઝવાહિરીને મારી નાખ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આ હુમલો થયો ત્યારે તે બાલ્કનીમાં હતો.
એક રિપોર્ટ મુજબ તાલિબાન સિરાજુદ્દીન હક્કાનીનો પુત્ર અને જમાઈ પણ આ હુમલામાં માર્યા ગયા છે. જવાહિરી જે ઘરમાં છુપાયો હતો તે ઘર પણ હક્કાનીની નજીક હોવાનું કહેવાય છે. આ સાથે એ પણ સામે આવ્યું છે કે, પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ ભૂતકાળમાં અમેરિકા સાથે વાત કરી હતી. તેણે અમેરિકાને IMF પાસેથી ફંડ મેળવવાની અપીલ કરી હતી. આઈએસઆઈ ચીફ અગાઉ પણ અમેરિકા ગયા હતા. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના બાતમીદારના કારણે જવાહિરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે.