ભારતીય ખાનગી એજન્સીઓએ 7 રાજ્યોમાં હાઇ એલર્ટ શરૂ કર્યુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાના વિરોધમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી પુલવામા જેવો એટેક કરી શકે છે.
એક ખાનગી ન્યુઝના જણાવ્યા અનુસાર, સૂત્રોના જણાવ્યાં અનુસાર, સૌથી વધારે ખતરનાક કાશ્મીર ઘાટી સિવાય પણ દેશનાં 7 રાજ્યોમાં ખતરો મંડરાઇ રહ્યો છે. ખાનગી એજન્સીઓને મળેલા ઇનપુટ અનુસાર, પાકિસ્તાન (pakistan) ની ખાનગી એજન્સી આઇએસઆઇએ આતંકીઓને હુમલો કરવાનો નિર્દેશ આપ્યો છે. સૂત્રોનું કહેવું એમ છે કે ફેબ્રુઆરી 2019માં પુલવામા એટેક (pulwama attack) ની જેમ જ દેશનાં 7 રાજ્યોમાં આતંકી હુમલો થઇ શકવાની શક્યતા છે.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર, દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં હાઇએલર્ટ જાહેર કરી દેવામાં આવેલ છે. કહેવાઇ રહ્યું છે કે, જૈશ-એ-મોહમ્મદનાં આતંકી આ શહેરોમાં હુમલો કરવાનો પ્લાનિંગ કરી રહેલ છે.
વધુમાં તમને જણાવી દઇએ કે, દેશનાં હવાઇમાર્ગો પર પણ આતંકી હુમલાની માહિતી મળી છે કે જ્યાર બાદ સરકારે 15 ઓગસ્ટ પર યોજાનાર કાર્યક્રમોને જોતા તમામ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે લોકસભા અને રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 પાસ કરી દેવામાં આવ્યું અને જેને લઇને કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને નાબૂદ કરવામાં આવી છે. જેથી દેશમાં સુરક્ષાને લઇ હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે.