આજે મોટાભાગના લોકો જમતી વખતે ચમચીઅને ફોકનો ઉપયોગ કરે છે. જોકે આયુર્વેદમાં હાથ વડે ખાવાના અનેક ફાયદા જણાવ્યા છે. હાથ વડે ખાતી વ્યક્તિઓને જમ્યાનો સંતોષ મળે છે અને તે ઓવરઈટિંગથી બચી શકે છે. હાથ વડે ખાવાથી જમવાનું સરળતાથી પચી જાય છે અને તેનાથી વજન પણ વધતો નથી. ચાલો જાણીએ હાથથી જમવાના અદભૂત ફાયદા.
આયુર્વેદમાં હાથ વડે ખાવાના અનેક ફાયદા જણાવ્યા છે
હાથથી જમવાથી પાચન સારું રહે છે
હાથથી જમવાથી ખાધાનો સંતોષ પ્રાપ્ત થાય છે
મોં દાઝવાનો ડર રહેતો નથી
જો ખાવાનું વધુ ગરમ છે તો એવામાં તમે ચમચીથી ખાઈ શકો છો પણ તેનાથી મો દાઝવાનો ડર રહે છે, પણ હાથ વડે ખાતી વખતે મોં નથી દાઝતું કારણકે જમવાનું કેટલું ગરમ છે તેનો અહેસાસ પહેલાં જ થઇ જાય છે. જયારે ચમચી કે ફોકથી ખાતી વખતે મગજ સુધી તે મેસેજ પહોંચતો નથી કે જમવાનું કેટલું ગરમ છે.
વજન કંટ્રોલમાં રહે છે
જો તમે તમારું વજન કંટ્રોલમાં રાખવા માંગતા હોય તો જમતી વખતે ચમચી નહીં પણ તમારા હાથ વડે જમવું જોઈએ. હકીકતમાં હાથ વડે જમવાથી આપણું પેટ ભરાઈ જાય ત્યારે આપણા મગજને સંકેત મળે છે અને આપણે ઓવરઈટિંગથી બચી શકીએ છીએ.
શરીરની ઉર્જા જળવાઈ રહે છે
હાથથી ખાતી વખતે શરીરની ઉર્જા લાંબા સમય સુધી બની રહે છે. કહેવાય છે કે માનવશરીર હવા, પાણી, અગ્નિ, પૃથ્વી અને આકાશ જેવા પાંચ તત્વોનું બનેલું છે. જો આ તત્વોમાં કોઈ પ્રકારનું અસંતુલન આવી જાય તો તેનાથી શરીરમાં કેટલીયે પ્રકારની બીમારીઓ થઇ શકે છે. હાથ વડે કોળિયો બનવતી વખતે જે સ્થિતિ બને છે તે શરીરના પાંચ તત્વો વચ્ચે સંતુલન બનાવી રાખે છે અને શરીરને ઉર્જા મળે છે.
પાચન ક્રિયા સુધરે છે
ચમચી વડે ખાવાથી તમારી પાચનક્રિયા ધીમી થઈ શકે છે પણ હાથ વડે ખાવાથી પાચનક્રિયા સુધરે છે. ખાવાની વસ્તુને હાથ વડે ખાવાથી મગજ સુધી મેસેજ જાય છે અને પેટ પાચનક્રિયા માટે તૈયાર થાય છે. આવું થવાથી પાચનક્રિયા વધુ સારી બને છે અને ખાવાનું સરળતાથી પછી જાય છે.
ખાતી વખતે જમવા પર જ ધ્યાન રહે છે
ચમચી અને ફોકથી જમતી વખતે કેટલીયેવાર આપણું ધ્યાન જમવાથી ભટકી જાય છે, પણ હાથ વડે ખાતી વખતે આપણું ધ્યાન માત્ર જમવા પર હોય છે. આ દરમિયાન આપણે શું ખાઈ રહ્યા છીએ અને કેટલું ખાઈ રહ્યા છીએ તેના પર પણ ધ્યાન રહે છે.