દરેક વ્યક્તિની એવી ઇચ્છા હોય છે કે એની પાસે સરકારી નોકરી હોય. એના માટે ઘણા લોકો મહેનત પણ કરે છે તેમ છતાં નોકરી મળતી નથી. જ્યારે કેટલાક લોકોને મહેનત કર્યા વગર સામેથી સરકારી નોકરી મળી જાય છે. આજે તમને હાથની કેટલીક રેખાઓ માટે જણાવીએ છીએ જેના પરથી તમે જાણી શકશો કે તમારા નસીબમાં સરકારી નોકરીના યોગ છે કે નહીં.
કોઇની હથેળી પર સૂર્ય રેખા સીધી ગુરૂ પર્વત તરફ જતી હોય તો તે વ્યક્તિ કોઈ મોટો સરકારી ઓફિસર બને છે.
હથેળીમાં ભાગ્યરેખા મળિબંધથી સીધા શનિ પર્વત તરફ જતી હોય તો વ્યક્તિ અચાનક ધનવાન બની શકે છે. આવા લોકોનું ભાગ્ય ખૂબ જ સારું હોય છે. અને તેમને ભાગ્યનું ભરપૂર સાથ મળે છે. આ યોગને ગજલક્ષ્મી યોગ કહેવામાં આવે છે.
ભાગ્યરેખા ચંદ્ર પર્વતથી શરૂ થઈને કપાયા વગર સીધા શનિ પર્વત સુધી પહોંચતી હોય તો તે વ્યક્તિ પર શનિ ભગવાન મહેરબાન થાય છે. આવા લોકોને જીવનની બધી જ સુખ-સુવિધાઓ મળે છે.
અંગૂઠા પર ચક્રના નિશાન હોય તો તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તેનો કોઈપણ કામ અટકતું નથી. તેને ઝડપથી સફળતા મળે છે. અને પોતાના ક્ષેત્રે ખૂબ જ સિદ્ધિ પ્રાપ્ત કરે છે.