હિંદુ ધર્મમાં જન્મ કુંડળીના આધાર પર વ્યક્તિના ભવિષ્ય માટે જામી શકાય છે. માન્યતાઓ અનુસાર મનુષ્યના શરીરનો નાશ થાય છે પરંતુ આત્મ તો અમર જ રહે છે. આત્મા એક શરીરથી બીજા શરીરમાં પ્રવેશ કરી લે છે અને એને પુનર્જન્મ કહેવામાં આવે છે. કેટલાક લોકોને એવું જાણવાની ઉત્સુક્તા રહે છે કે એ પૂર્વ જન્મમાં શું હતા. આજના સમયમાં આ વાતનો જવાબ ગ્રંથો અથવા કુંડળીના આધાર પર કરવામાં આવે છે.
જો કુંડળીમાં 11માં સ્થાને સૂર્ય પાંચમે ગુરુ અથવા બારમે શુક્ર છે તો કહેવામાં આવે છે કે વ્યક્તિ પૂર્વજન્મ માં ધર્માત્મા પ્રવૃત્તિનો અને લોકોની મદદ કરનાર હતો.
ચંદ્ર જો લગ્નમાં ઉચ્ચ રાશિમાં હોય તો માણસ પૂર્વજન્મમાં બુદ્ધિવાળો વેપાર કરતો હશે.
કુંડલીમાં ચાર અથવા એનાથી વધારે ગ્રહ નીચેની રાશિમાં હોય તો એનાથી ખબર પડે છે કે વ્યક્તિએ આત્મહત્યા કરી હશે.
જો જન્મ કુંડળીમાં સૂર્ય છઠ્ઠા આઠમાં અને બારમાં ભાવમાં હોય અથવા તુલા રાશિનો વ્યક્તિ પૂર્વ જન્મમાં બેઇમાન જીવન વ્યતીત કરનાર હોય છે.
કુંડળીમાં લગ્ન અથવા સપ્તમ ભાવમાં શુક્ર હોય તો વ્યક્તિ પૂર્વજન્મમાં રાજા હશે અને દરેક પ્રકારના સુખ સુવિધામાં રહ્યો હશે.
જો કોઇ જાતક સન્યાસી હોય તો એની કુંડળીમાં ગુરુ શુભ ગ્રહોથી દ્રષ્ટ પંચમ અથવા નવમાં ભાવમાં સામેલ થશે.