હિંદુ શાસ્ત્રમાં કહેવાયું છે કે પૃથ્વી પર જેને જન્મ લીધો છે એનો અંત પણ નક્કી જ છે. જેમ કે આ ધર્મમાં બાળકના જન્મ પર ખૂબ જ રીત-રિવાજોને અપનાવવામાં આવે છે એવી જ રીતે માણસના મૃત્યુ સમયે પણ કેટલાક રીત-રિવાજો અપનાવામાં આવે છે.
ગ્રંથો અનુસાર હિંદુ ધર્મમાં મૃત્યુનો સમય વ્યક્તિના દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મોટાભાગની અંતિમ સંસ્કારની આ ક્રિયાને મોટા ભાગે નદી કિનારે નિભાવવામાં આવે છે. પરંતુ માન્યતા અનુસરા કોઇ પણ માણસના દેહના અંતિમ સંસ્કાર ગંઘા ઘાટ પર કરવામાં આવે તો એ વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
પુરાણોનું માનીએ તો કાશીને મોક્ષ પ્રાપ્તિ માટે સૌથી પાવન સ્થાન માનવામાં આવે છે.
આટલું જ નહીં કાશી માટે કહેવામાં આવે છે કે અહીંયા જે વ્યક્તિના અગ્નિ સંસ્કાર થાય છે એમને સીધું સ્વર્ગ પ્રાપ્ત થાય છે. પરંતુ આજે અમે તમને એક એવા ઘાટ માટે જણાવવા જઇ રહ્યા છીએ જ્યાં મુર્દાને અંતિમ સંસ્કાર માટે કિંમત ચૂકવવી પડે છે. જી હાં સાંભળવામાં અજીબ લાગતી આ વાચ સાચી છે. આ ઘાટ બનારસમાં છે અને આ ઘાટ દુનિયાનો એક માત્ર ઘાટ છે જ્યાં હંમેશા ચિતા સળગતી રહે છે ક્યારેય ઠંડી થતી નથી.
કહેવાય છે કે હરિશચંદ્ર ઘાટ પર અંતિમ સંસ્કારનીકિંમત ચુકવવાની આ પરંપરા આશરે 300 વર્ષ જૂની છે. માનવામાં આવે છે કે શ્મશાનની સારસંભાળની જવાબદારી ત્યારથી ડોમ જાતિના હાથમાં હતી. હરીશચંદ્રએ એક વચન હેઠળ પોતાના રાટપાટ છોડીને ડોમ પરિવારના પૂર્વજ કલ્લૂ ડોમની નોકરી કરી હતી. એ વચ્ચે એમના પુત્રનું મોત થઇ ગયું અને પુત્રના અંતિમ સંસ્કાર માટે એમને મજબૂરીથી કલ્લૂ ડોમની પરવાનગી માંદલી પડી. દાન આપ્યા વગક અંતિમ સંસ્કારની પરવાનગી નહતી એટલા માટે રાજા હરિશચંદ્રને પત્નીની સાડીનો એક ટુકડો દક્ષિણા તરીકે કલ્લૂ ડોમને આપવો પડ્યો.