ઘણા લોકોને પ્રકૃતિથી ખુબ પ્રેમ હોય છે અને નેચરલ બ્યુટી હોય ત્યાં ફરવા જવા ઇચ્છે છે પરંતુ એક જગ્યા છે જ્યાં પક્ષીઓ પણ આત્મહત્યા કરે છે.
પંખીઓ કરે છે આત્મહત્યા
આસામમાં આવેલી છે જગ્યા
લાશોના થઇ જાય છે ઢગલા
ભારતમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં જઇને સુકુન મળે છે પરંતુ કેટલીક જગ્યા રહસ્યમયથી સભર અને ભયાવહ પણ હોય છે. જ્યાં જવાના વિચાર માત્રથી લોકોને ડર લાગવા લાગે છે. શું તમે કોઇ એવી જગ્યા જોઇ છે જ્યાં પક્ષીઓ આત્મહત્યા કરે?
પક્ષીઓનુ સુસાઇડ પોઇન્ટ
અસમના દિમા હાસો જિલ્લાના ઘાટીમાં સ્થિત જતિંગા વેલી પોતાની પ્રાકૃતિક સ્થિતિઓની જગ્યાએ પોતાની પ્રાકૃતિક સ્થિતિઓના કારણે વર્ષમાં 9 મહિના સુધી બહારની દુનિયાથી આ જગ્યા કપાયેલી રહે છે પરંતુ સપ્ટેમ્બર મહિનામાં આ ગામ ન્યુઝમાં છવાઇ જાય છે કારણકે અહી આવીને પક્ષીઓ આત્મહત્યા કરી લે છે.
પક્ષીઓની લાશોના થાય છે ઢગલા
સપ્ટેમ્બર મહિનામાં આ ઘાટીમાં નાઇટ કરફ્યુ જેવી સ્થિતિ થઇ જાય છે. ઓક્ટોબરથી નવેમ્બર સુધી કૃષ્ણપક્ષની રાતમાં અહીં અજીબ ઘટનાઓ થાય છે. જ્યાં સાંજે 7 વાગ્યાથી લઇને રાતના 10 વાગ્યા સુધી પક્ષી, કીટકો અને જીવજંતુઓ પડવા લાગે છે. અહી પક્ષીઓની લાશોના ઢગલા થાય છે, જે તમારી આંખો ભીંજાવી દેશે.
કેમ નથી ઉડી શકતા પંખી
મહત્વનુ છે કે જતિંગા ગામ અસમના બોરેલ હિલ્સમાં સ્થિત છે. આ જગ્યા પર ખુબ વરસાદ થાય છે. ઘણી ઉંચાઇ પર પહાડોથી ઘેરાયેલી જગ્યાના કારણે અહી વાદળ અને ફોગ છવાઇ જાય છે. વરસાદના કારણે પક્ષીઓ સંપૂર્ણ ભીના થઇ જાય છે અને જ્યારે તે ઉડવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમની ક્ષમતા ખત્મ થઇ ચૂકી હોય છે.
કાંટાળા જંગલ ભજવે છે વિલનની ભૂમિકા
આ ઘાટીમાં વાંસના ખુબ કાંટાળા જંગલ છે જેના કારણે અંધારાની રાતમાં પક્ષીઓ તેનાથી ટકરાય છે અને પક્ષી તેનાથી ટકરાઇને દુર્ઘટનાનો શિકાર થઇ જાય છે. વધારે દુર્ઘટના સાંજે થાય છે કારણકે તે સમયે પક્ષીઓ ઝૂંડમાં પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા છે.
રાતના સમયમાં નો એન્ટ્રી
તમને જણાવી દઇએ કે આત્મહત્યા કરનારા પક્ષીઓમાં સ્થાનીય અને પ્રવાસી પંખીઓની કેટલીક પ્રજાતિ સામેલ છે. આ વેલીમાં રાતના સમયે જવા પર પણ બૅન લાગેલો છે.