લંડન: સૂરજને લઇને કેટલાક વૈજ્ઞાનિકોએ મોટી ભવિષ્યવાણી કરી છે. એમનું કહેવું છે કે આવનાર 10 અરબ વર્ષ બાજ સૂરજ તારાઓ વગરનો એક ડસ્ટની રિંગ બની જશે. આ પ્રક્રિયાને ગ્રહોની નિહારીકાના નામથી જાણી શકાય છે. પ્લેનેટરી નેબુલા દરેક તારાઓની 90 ટકા સક્રિયતાની સમાપ્તિનો સંકેત આપે છે.
જો કે ઘણા વર્ષ સુધી વૈજ્ઞાનિક આ માટે નિશ્વિત નહતા કે આપણા આકાશગંગામાં રહેલો સૂરજ પણ આ પ્રકારે ખતમ થઇ જશે. સૂરજ માટે માનવામાં આવી રહ્યું છે કે એનો ભાર એટલો ઓછો છે કે એનાથી સ્પષ્ટ જોઇ શકાય એવા ગ્રહોની નિહારિકા બનવી મુશ્કેલ છે. આ સંભાવનાની શોધ કરવા માટે વૈજ્ઞાનિકોની ટીમે ડેટા પ્રારૂપ વાળો એક નવો ગ્રહ વિકસિત કર્યો જે કોઇ તારાના જીવનચક્રનું અનુમાન લગાવી શકે છે. મોડલનો ઉપયોગ ગ્રહની ચમકનો અંદાજો લગાવવા માટે કરવામાં આવે છે.
આ બાબતે એક વૈજ્ઞાનિકે જણાવ્યું કે 'જ્યારે ખએ તારો ખતમ થવાની અણીએ હોય છે કો એ અંતરિક્ષમાં ગેસ અને ધૂળનો એક ફુગ્ગો છોડે છે જેને એનો એન્વેલપ કહેવામાં આવે છે. આ એન્વેલેપ તારના ભારનો આશપે અડધો હોઇ શકે છે.' નવા પ્રારૂપોમાં દેખાડવામાં આવ્યું છે કે એન્વેલોપ છોડ્યા ગયા બાદ તારા ત્રણ ગણો ઝડપથી ગરમ થાય છે. એનાથી સૂરજ જેવા ઓછા બાર વાળા તારા માટે ચમકદાર નિહારિકા બનાવવી સરળ થઇ જાય છે.