સામાન્ય રીતે લોકો ખુશ થાય ત્યારે ડાન્સ કરતા હોય છે. બર્થડે પાર્ટી હોય કે લગ્ન તેમાં લોકોને ડાન્સ કરતા જોયા હશે પરંતુ આ જગ્યાએ લોકો મૃત્યુ થવા પર નાચે છે.
અહી લોકો શબને દફનાવતા પહેલા નાચે છે
મૃત્યુ થવા પર ડાન્સ કરવાની છે પરંપરા
મૃત વ્યક્તિના પૈતૃક લોકોની લાશને કાઢવામાં આવે છે બહાર
તમે ક્યારેય સાંભળ્યુ છે કે કોઇનુ મૃત્યુ થાય ત્યારે લોકો ડાન્સ કરે? અજીબ વાત છે ને! પરંતુ આ વાત સાચી છે. એક અવી પરંપરા છે જ્યાં કોઇની મૃત્યુ થઇ જાય તો તેની શબયાત્રા સાથે પરિવારના લોકો કબ્રસ્તાન પહોંચી જાય છે.
અંતિમ સંસ્કાર વખતે નાચે છે લોકો
એક સમાચાર અનુસાર, મેડાગાસ્કરમાં માલાગાસી જનજાતિના લોકો અંતિમ સંસ્કાર વખતે નાચવા લાગે છે. જ્યારે શબયાત્રા નીકળે છે ત્યારે લોકો ડાન્સ કરતા કરતા સ્મશાન સુધી પહોંચે છે. જે ફેમાડિહાના રિવાજનો હિસ્સો છે. આ પરંપરામાં પરિવારના મૃત સદસ્યોને પણ કબરમાંથી બહાર કાઢવામાં આવે છે.
મ્યૂઝિક વગાડવામાં આવે છે
ફેમાડિહાના રિવાજ અંતર્ગત શબોને દફન કરવા માટે જ્યારે કબ્રસ્તાનમાં લાવવામાં આવે છે ત્યારે તેને નવા કપડામાં લપેટવામાં આવે છે અને મકબરાના ચારે બાજુ મ્યૂઝિક વગાડવામાં આવે છે. લોકો નાચે છે અને મૃત વ્યક્તિને અલવિદા કહે છે.