વર્ષ 2019માં ઓટો ક્ષેત્રમાં ઘણા મોટા અને મહત્વના ફેરફાર જોવા મળ્યા છે. જેને સરકારે સામાન્ય માણસની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તૈયાર કરવામાં આવ્યું છે. એટલે કે 2019માં વાહનોને પૂરી રીતે સેફ કરવામાં કોઇ કમી રહેશે નહીં.
જેને સરકારે એપ્રિલ 2019થી લાગૂ કરવા જઇ રહી છે. એટલે કે બજારમાં એપ્રિલ 2019 બાદ એબીએસ વગર કોઇ પણ વાહન વેચી શકાશે નહીં. જેના કારણે તમામ કંપનીઓ પોતાના વાબનોને એબીએસથી લેસ કરીને લોન્ચ પણ કરી રહી છે. આ ઉપરાંત સીટ બેલ્ટ એલર્ટ રિવર્સ પાર્કિંગ સેન્સર અને સ્પીડ એલર્ટની સાથે બજારમાં જતા પહેલા તમામા ગાડીઓનો ક્રેશ ટેસ્ટમાં પાસ હોવું ફરજીયાત છે.
આ સાથે જ 2023 સુધી ગાડીઓમાં ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ જેવા પણ સેફ્ટી ફીચર્સ આવવાથી ભારત સેફ્ચી ફીચર્સના મામલે ઘણા યૂરોપીય દેશોને પાછળ છોડી દેશે. આંકડાઓનું માનીએ તો વર્ષ 2017માં આશરે 26 હજારથી વધારે લોકોની મોત કાર દુર્ઘટનામાં થયું હતું.