રામ ભક્ત હનુમાનજીને સમગ્ર દેશમાં પૂજવામાં આવે છે પણ એક એવી જગ્યા જ્યાં હનુમાનનું નામ લેવું પણ પાપ છે. અને આ પાછળનું કારણ એક સ્ત્રી છે.
આ સ્થળ છે ઉત્તરાખંડનુ દ્રોણગીરી ગામ. જ્યાના લોકો હનુમાનજીની એક વસ્તુથી ખૂબ જ નારાજ છે કે તેઓ તેમની પૂજા પણ કરતા નથી અને આ નારાજગી આજથી નહી પરંતુ તે સમયથી છે જ્યારે બજરંગબલીએ સંજીવની બૂટ્ટી માટે આખો પર્વત ઉપાડ્યો હતો.
આ પાછળનું કારણ જણાવીયે તો મેઘનાદ(ઇન્દ્રજીત)ના વારથી જ્યારે લક્ષ્મણ બેભાન થઈ ગયા ત્યારે લક્ષ્મણને ભાનમાં લાવવા માટે સંજીવની બૂટ્ટીની જરૂર હતી.
લક્ષ્મણને ભાનમાં લાવવા માટે સંજીવની બૂટ્ટી લેવા માટે હનુમાનજી ચમોલી જિલ્લાના દ્રોણગીરી પર્વત પર પહોચ્યા જે પર્વતની તળેટીમાં આ ગામ વસેલું છે.
જ્યારે હનુમાનજી બૂટ્ટી લેવા માટે આવ્યા ત્યારે આ ગામની એક વૃદ્ધ મહિલાએ તેમને પર્વતનો એક ભાગ બતાવ્યો જ્યાં આ સંજીવની બૂટ્ટી ઉગતી હતી. પણ ભગવાન હનુમાનજીએ તે ભાગને બદલે સમગ્ર પર્વતને સાથે લઇ લીધો હતો. જે કારણથી અહીંના લોકો તેમની પૂજા કરતા નથી.
આ ઉપરાંત આ ગામમાં લાલ ધ્વજ ફરકાવવા ઉપર પણ પ્રતિબંધિત છે. એવું માનવામાં આવે છે કે ગામ લોકોએ તે વૃદ્ધ મહિલાનો પણ ગામ અને સમાજમાંથી બહિષ્કાર કર્યો હતો. મહત્વનુ છે કે આ ગામમાં ભગવાન રામની પૂજા ધામધૂમથી કરવામાં આવે છે.