ભારતને સંતોની ભૂમી કહેવામાં આવે છે. ભારતમાં ઘણા ચમત્કારી મંદિર છે. જેમાંનું એક ઉત્તરાખંડનું શનિદેવનું મંદિર પણ છે. આ મંદિર ઉત્તરાખંડના ઉત્તરકાશી જીલ્લાના ખરસાલી ગામમાં આવેલું છે. શનિદેવનું આ મંદિર દરીયા કિનારાથી લગભગ 7000 ફુટની ઉંચાઇ પર છે.
આ પ્રાચિન મંદિર અનોખી કલાકૃતિ અને કોતરણીથી દેશભરમાં પ્રખ્યાત છે. માન્યતાઓ મુજબ આ મંદિરમાં વર્ષમાં એકવાર કાર્તિકી પૂર્ણીમાના દિવશે પ્રગટ થાય છે. કહેવામાં આવે છે કે આ દિવસે શનિદેવના ઉપર રાખેલો ઘડો અથવા કળશ પણ બદલી જાય છે. ભક્તોના જણાવ્યા મુજબ આ મંદિરે આવનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે.
પોરાણિક કથાઓ અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે આ મંદિરમાં બે મોટી ફુલદાની રાખવામાં આવી છે. જેને રિખોલા અને પિખોલા કહેવામાં આવે છે. આ બંને ફુલદાનીને સાંકળ વડે બાંધવામાં આવી છે કારણ કે એવુ માનવામાં આવે છે કે પૂર્ણીમાના દિવસે ફુલદાની આપમેળે નદી તરફ ચાલવા લાગે છે.