મોદી સરકારે પોતાના મંત્રાલયોમાં કામ કરતાં ઢગલાબંધ ઓફિસરોની બઢતી અને બદલી કરવાનો નિર્ણય કર્યો છે.
મોદી સરકારે અમલદારશાહીમાં કર્યા ધરખમ ફેરફાર
કેટલાક અધિકારીઓને મળ્યું પ્રમોશન, ઘણા બધાનું ટ્રાન્સફર
નવા સહકાર મંત્રાલયમાં દેવેન્દ્ર કુમારની સચિવ તરીકે નિયુક્તિ
સહકાર મંત્રાલય મોદી સરકાર માટે ખાસ
જુલાઇ મહિનામાં મોદી કેબિનેટમાં મોટા ફેરફાર કર્યા બાદ બાદ હવે સરકારે અમલદારશાહીમાં મોટા ફેરફાર કર્યા છે જેમા મોટા ભાગનાં મંત્રાલયોમાં ટોપનાં ઓફિસરોની બદલી કરવામાં આવી છે. હાલમાં જ મોદી સરકારે બનાવેલ સહયોગ મંત્રાલયમાં દેવેન્દ્ર કુમારને સચિવ બનાવવામાં આવ્યા છે.
થોડા દિવસ પહેલા જ પીએમ મોદીએ કરી હતી હાઇલેવલ બેઠક
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સચિવો સાથે હાઇલેવલ બેઠક કરી હતી જેમા કામને લઈને ચર્ચા કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે તે બેઠક બાદ જ પીએમ મોદીએ આ નિર્ણય લેવાનું નક્કી કરી લીધું હતું. કેન્દ્રમાં 13 મોટા અધિકારીઓને નવી જવાબદારીઓ આપવામાં આવી છે.
કોને કયા મંત્રાલયમાં મૂકાયા
ગૃહમંત્રાલયના વધારાના સચિવ ગોવિંદ મોહનને સંસ્કૃતિ મંત્રાલયમાં સચિવ નિયુક્ત કરાયા
સ્ટીલ મંત્રાલયનાં સચિવ પ્રદીપ કુમાર ત્રિપાઠીને કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગમાં બદલી કરાઇ
એર ઈન્ડિયાનાં અધ્યક્ષ રાજીવ બંસલને નાગરિક ઉડ્ડયન મંત્રાલયનાં સચિવ બનાવવામાં આવ્યા (હાલમાં જ પ્રદીપ સિંહ ખરોલા સચિવ પદ પરથી નિવૃત્ત થયા)
નાણામંત્રાલયનાં વધારાના સચિવ રાજારમણને દૂરસંચાર સચિવ બનાવાયા
દિલ્હી વિકાસ વિભાગના ઉપાધ્યક્ષ અનુરાગ જૈનનું પ્રમોશન, આંતરિક વેપાર વિભાગમાં સચિવ બનાવાયા
સુનિલ બર્થવાલને શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ તરીકે નિયુક્તિ
સુજાતા ચતુર્વેદીની ખેલ મંત્રાલયમાં બદલી
કે સંજય મૂર્તિની ઉચ્ચ શિક્ષણ વિભાગમાં સચિવ તરીકે નિયુક્તિ
અધિક સચિવોને વિશેષ સચિવ તરીકે બઢતી
આ સિવાય સરકાર વધારાના સચિવોને તેમના જ વિભાગમાં વિશેષ સચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે જેમા એસ કિશોર, શ્રીવી શ્રીનિવાસ અને મનોજ જોશી સામેલ છે.