દેશભરમાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે ત્યારે અનેક લોકો કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જો તમે પણ હાલમાં લોકડાઉનની સ્થિતિમાં છો તો તમારે ઘરે રહીને આ મંત્રોના જાપ કરવા. તેનાથી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ સારી રહે છે અને સાથે ગ્રહોના પ્રભાવની અસરને પણ ઓછી કરી શકાય છે. જ્યોતિષ વિશેષજ્ઞશ્રી હેમેન્દ્રભાઈ મિસ્ત્રી જણાવે છે કે કયા ગ્રહના કારણે કોરાના વાયરસનો લાગી શકે છે? ક્યાં સુધી રહેશે કોરોનો વાયરસનો પ્રભાવ ?
રાહુ ગ્રહના કારણે વાયરસ, બેક્ટેરિયા, ફંગલ ઇન્ફેકશન, કેન્સર જેવા રોગ પેદા થાય છે. રાહુની સ્થિતિ કુંડળીમાં નિર્બળ હોય તો ચેપ લાગી શકે. કોરોના વાયરસ મૂળ રાહુ ગ્રહના કારણે ફેલાતો રોગ છે. જૂન મહિનાથી રાહુનો નેગેટિવ પ્રભાવ ઘટશે અને સપ્ટેમ્બર સુધી કંટ્રોલમાં આવી શકે છે. 2020 વર્ષનો મૂળ અંક 4 છે, અને 4 અંક પર રાહુનો વિશેષ પ્રભાવ છે. જેથી આ વર્ષે વિશ્વમાં આધિ, વ્યાધિ અને ઉપાધિનું પ્રમાણ વિશેષ રહેશે. વિશ્વને આર્થિક મંદી, વાવાજોડું, રોગચાળો, યુદ્ધ, મોંઘવારી જેવી પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડશે.
જાણો કોને કોરોનાનો ચેપ જલ્દી લાગે છે અને કોણ બચી શકે છે
જેમની કુંડળીમાં ચંદ્ર -રાહુ , સૂર્ય-રાહુ, શનિ-રાહુ , ગુરુ -રાહુ , ચંદ્ર ગ્રહ, સૂર્ય ગ્રહની નિર્બળ સ્થિતિ હોય તે વ્યક્તિ કોરોના વાયરસનો શિકાર ઝડપથી થાય. સૂર્ય, મંગલ, ચંદ્ર, રાહુ અને ગુરુ ગ્રહ જો જન્મ કુંડળીમાં બળવાન હોય તે વ્યક્તિ બચી શકે છે. કારણ કે તેમની ઇમ્યુનિટી સિસ્ટમ સારી હોય છે. ઈમ્યુનિટી સિસ્ટમ સારી બનાવી અને પ્રાણ ઉર્જા વધારી ગમે તે રોગ સામે લડી શકાય.
આ મંત્રના જાપથી વધે છે આત્મવિશ્વાસ
ભારતીય વેદ વિજ્ઞાન મુજબ ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર, નર્વાણ મંત્ર જાપ કરીને આત્મવિશ્વાસ વધારી શકાય અને ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત કરી શકાય. નિયમિત હનુમાનચાલીસા ,બજરંગ બાણ ,ચંડીપાઠનું દૈવી કવચ ,રામ રક્ષા સ્તોત્ર , નારાયણ કવચ વાંચી પ્રાણઊર્જા વધારી શકાય. યાદ રાખો ભય, નેગેટિવ વિચાર તમારી ઇમ્યુનિટી સિસ્ટમ નબળી બનાવે છે. આત્મવિશ્વાસ અને મનોબળ તમારી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત કરે છે.