આજની ફાસ્ટ લાઇફમાં તણાવ આપણી રોજિંદી જિંદગીનો એક ભાગ છે. ઘણી વાર તણાવ રહિત જિંદગી કલ્પના સમાન લાગે છે. આપણી રોજિંદી જરુરિયાતોને પુરી કરવા માટે એક હદ સુધી તણાવ હોય તે જરુરી છે. કેટલાક ઉપાયો અજમાવો અને તમે તણાવથી થોડા દુર રહી શકશો.
આજની ફાસ્ટ લાઇફમાં તણાવ આપણી રોજિંદી જિંદગીનો એક ભાગ છે. ઘણી વાર તણાવ રહિત જિંદગી કલ્પના સમાન લાગે છે. સમય પર કામ કરવા માટે કે પછી આપણી રોજિંદી જરુરિયાતોને પુરી કરવા માટે એક હદ સુધી તણાવ હોય તે જરુરી છે, પરંતુ જો આજ તણાવ આપણી કાર્યક્ષમતા કે માનસિક સંતુલનને પ્રભાવિત કરવા લાગે તો તેની સામે લડવુ જરુરી છે. જો તેની સામે જરુરી પગલા લેવામાં ન આવે તો તે ડિપ્રેશન, કેન્સર કે દિલની બીમારીનુ કારણ પણ બની શકે છે. કેટલાક ઉપાયો અજમાવો અને તમે તણાવથી થોડા દુર રહી શકશો
‘ના’ કહેતા શીખો
જો તમને લાગતુ હોય કે તમે હવે વધુ કામ નહી કરી શકો અથવા તમે કોઇ પ્રકારનુ કામ કરવા ઇચ્છતા નથી તો મુંગે મોઢે તે કામ કરીને સ્ટ્રેસ લેવાના બદલે ના કહેતા શીખો. આમ કરવાથી તમારી પર જરુરિયાત કરતા ઓછો બોજો પડશે. તમે તમારા કામને સમય કરતા વહેલા પુરુ કરી શકશો. બિનજરુરી તણાવ દુર થશે અને કોઇને ખરાબ પણ નહી લાગે.
તણાવના કારણોને ઓળખો
ઘણીવાર આપણે તણાવના કારણોને જાણ્યા વગર જ તણાવગ્રસ્ત રહેતા હોઇએ છીએ. આવી અવસ્થામાં જો આપણે વિસ્તાર પુર્વક તે કારણો અંગે વિચારીએ અને તેને જાણવાની કોશિશ કરીએ તો તેનુ સમાધાન મળી શકે છે અને ઘણીહદ સુધી આપણો તણાવ ઘટાડી શકાય છે.
ખુદને રિલેક્સ રાખવાની કોશિશ કરો
જો તમે રિલેક્સ અવસ્થામાં હો તો તણાવ તમને વધુ પ્રભાવિત કરી શકતો નથી. તણાવવાળી સિચ્યુએશન આવે તો પણ તમે તેને યોગ્ય રીતે સંભાળી શકો છો. નિયમિત વ્યાયામ, યોગા, ધ્યાન અને હરવુ ફરવુ રિલેક્સ રહેવાની સારી રીત છે. સંશોધનો પરથી જાણવા મળ્યુ છે કે એક દિવસમાં 20 મિનિટ, અઠવાડિયામાં ત્રણ દિવસ નિયમિત વ્યાયામ કરવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે.
સકારાત્મક વિચારોની આદત પાડો
પોતાની નિષ્ફળતાઓ પર ધ્યાન આપવાના બદલે જિંદગીમા જે મેળવ્યુ છે તેની પર ધ્યાન આપો. આમ કરવાથી તમારી નકારાત્મકતા ઘટશે અને તમારુ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમને પોઝિટીવ એનર્જી મળશે.
સંતુલિત આહાર લો
ફળ વિટામિન, મિનરલ્સ અને માઇક્રોન્યુટ્રિઅન્ટ્સના સારા સ્ત્રોત છે જે ન્યુરોન્સના કામ, વિકાસથી બચાવવા માટે જરુરી છે. ફળોનું નિયમિત સેવન આપણા મગજને સ્વસ્થ રાખે છે.
લિક્વિડ પદાર્થ વધુ લો
પાણી અને બીજા લિક્વીડ પદાર્થ શરીરની પાચન ક્રિયાને સ્વસ્થ રાખે છે અને સાથે શરીરના ટોક્સિન્સને બહાર કાઢવા માટે જરુરી હોય છે. ટોક્સિન્સના નીકળવાથી આપણા મગજ અને શરીરને ઉર્જા મળે છે. રોજ આપણે કમ સે કમ 3 લીટર પાણી પીવુ જોઇએ. છતા પણ તમને તણાવ જેવુ લાગતુ હોય તો મનોચિકિત્સકનો સંપર્ક કરવો.