કહેવાય છે કે રસોઇ બનાવવી પણ એક કળા છે. જોકે, જરૂરી નથી કે દરેક આ કળામાં માહેર હોય. આ કળા માટે માત્ર રસોઇ બનાવી જરૂરી નથી, પરંતુ તેને બનાવવાની રીત પણ સૌથી મહત્વપૂર્ણ છે. સ્વાદિષ્ટ ભોજનની સાથે-સાથે તે પોષક તત્વોથી ભરપૂર હોય તે પણ જરૂરી છે. જોકે, ઘણીવાર ખોટી કુકિંગની ટેવને પગલે ભોજનમાંથી જરૂરી એવા પોષકતત્વો નીકળી જાય છે.
ખોટી રીતે રસોઇ બનાવવાને કારણે ભોજનમાંથી શરીરને જરૂરી પોષણ મળતું નથી અને ઇન્ફેક્શનનો ડર થવાનો ખતરો વધી જાય છે. તેથી રસોઇ બનાવતા સમયે કેટલીક વાતો વિશે સાવધાની રાખવી જરૂરી છે. અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે, જેની મદદથી આપ ખાવાનું બનાવતા પહેલા ન્યૂટ્રિયન્ટ્સ નષ્ટ થતા બચાવી શકો છો.
1 સૌથી પહેલા તો એ ધ્યાનમા રાખો કે શાકભાજી હંમેશા ધોયા બાદ કાપવી જોઇએ. કાપ્યા બાદ ધોવાતી શાકમાં રહેલા મોટાભાગના પોષક તત્વો પાણી સાથે નીકળી જાય છે.
2 બટાટા, શક્કરીયા અને ગાજર જેવી શાકભાજી બાફીને બનાવવા માંગો છો તો તેને છોલ્યા વિના જ બાફવા જોઇએ. એમ કરવાથી પોષક તત્વ નષ્ટ થતા નથી અને શાકભાજીની કવરિંગની અંદર જ રહી જાય છે. છોલીને બાફવાથી તમામ ન્યુટ્રિયન્ટ્સ પાણીમાં નીકળી જાય છે. ઉપરાંત કેટલીક શાકભાજી હોય છે જેની છાલમાં પણ પોષક તત્વો હોય છે. આવી શાકભાજીને છોલ્યા વિના જ બનાવવી જોઇએ.
3 શાકભાજી ત્યારે જ કાપની જોઇએ, જ્યારે તેને બનાવવી હોય. નહીં તો હવા અને પ્રકાશના સંપર્કમાં આવવાથી પોષક તત્વ નષ્ટ થઇ જાય છે. જોબ કરતી મહિલાઓ સવારે જલ્દી ઓફિસ જવાના ચક્કરમાં રાત્રે જ શાકભાજી કાપીને રાખે છે. તેના કારણે ટાઇમ તો બચી જાય છે પરંતુ શાકભાજીમાં ન્યુટ્રિશન નથી રહેતા.
4 શાકભાજી બનાવતા પહેલા એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે થોડી માત્રામાં જ પાણીનો ઉપયોગ કરવો જોઇએ. વધારે પાણીમાં શાકભાજી અથવા કોઇ શાક બનાવવાથી ન્યુટ્રિશન્સ નષ્ટ થઇ જાય છે. સાથે ગેસ બર્બાદ થાય છે તે અલગ. આ ઉપરાંત બાફેલા શાકભાજીને ઠંડા પાણી અથવા રનિંગ વોટરમાં ધોવા ન જોઇએ. નહીં તો બાકી બચેલા ન્યુટ્રિશન્સ પણ નષ્ટ થઇ જાય છે.
5 છોલે, કાળા દેશી ચણા અથવા રાજમા બનાવતા સમયે જો બેકિંગ સોડાનો ઉપયોગ કરતા હોય તો એમ કરવાનું બંધ કરી દો. તેથી વિટામીન સી અને અન્ય જરૂરી મિનરલ્સ નષ્ટ થઇ જાય છે.
6 જ્યારે પણ શાકભાજી કાપો તો થોડા મોટા ટુકડામાં કાપવી. વધારે નાના ટુકડાઓમાં કાપવાથી પોષક તત્વો દૂર થઇ જાય છે.