ગુજરાતમાં આ વર્ષે નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી સ્વાઇન ફ્લુના 4841 કેસ નોંધાઇ ચૂક્યા છે. આ વર્ષે નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી સ્વાઇન ફ્લુથી સૌથી વધુ મૃત્યુ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત ચોથા સ્થાને છે. ગુજરાતમાં આ વર્ષે સરેરાશ એક માસમાં 484 લોકો સ્વાઇન ફ્લુની ઝપેટમાં આવ્યા છે જેમાંથી 15ના મૃત્યુ થયા છે. આ સમયે મોંઘી દવાઓના ઉપયોગને બદલે જાણી લો સ્વાઈન ફ્લૂથી બચવાના ઘરેલૂ ઉપાયોને વિશે વિગતે.
સ્વાઈન ફ્લૂનો વધ્યો કહેર
આ ઘરેલૂ ઉપાયોથી ઝડપથી મળશે રાહત
આ રીતે ઘરે તૈયાર કરો ઈમ્યુનિટી વધારતું મિશ્રણ
આ રીતે મિશ્રણ કરો તૈયાર
100 મિલી પાણીમાં ત્રણ ગ્રામ લીમડો, ગિલોયની સાથે અડધો ગ્રામ કાળા મરી એક ગ્રામ સુંઠનો ઉકાળો બનાવીને પીવાથી પણ ખુબ જ લાભદાયક રહે છે. આ વસ્તુઓને પાણીની સાથે ત્યાર સુધી ઉકાળવાની, જ્યાર સુધી તે 60 મિલી ગ્રામ જેટલી ન રહી જાય. આને એક અઠવાડિયા સુધી રોજ સવારે ખાલી પેટે પીવાથી શરીરની અંદર સ્વાઈન ફ્લૂની સામે લડવા માટેની જરૂરી ક્ષમતા ઉત્પન્ન થઈ જાય છે.
ત્રિફળા, ત્રિકાટુ, મધુયાસ્તી અને અમૃતાને સમાન માત્રામાં લઈને તેને એક ચમચી જેટલું લેવાથી પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે. આનાથી તાવ પણ ઓછો થઈ જાય છે. આ દવાને જમ્યા પછી બે વખત લેવાથી ફાયદો થાય છે.
તુલસી
તુલસીના પાનને ધોઈ લો. તે ગળા અને ફેફસાને સાફ રાખે છે અને સાથે રોગ પ્રતિકારક શક્તિને વધારીને સંક્રમણથી બચાવે છે.
ગિલોય
ગિલોયની સાથે તુલસીના પાન મિક્સ કરીને 20 મિનિટ ઉકાળો. તેમાં સ્વાદ અનુસાર મરી પાવડર, સિંધાલૂણ મીઠું મિક્સ કરો. તેને ઠંડું પાડો અને ઉપયોગમાં લો. તે રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે. ગિલોયનો છોડ ન મળે તો તેનો પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો.
કપૂર
કપૂરના 1 ટૂકડો મહિનામાં 1-2 વાર પાણી સાથે ગળવો. નાના બાળકોને બટાકા કે કેળાની સાથે આપવો. તેને સીધું લેવાનું મુશ્કેલ હોય છે. રોજ ન લેતા મહિનામાં 1 વાર આ પ્રયોગ કરવો.
લસણ
જે લોકો લસણ ખાય છે તે સવારે બે કળી ચાવી શકે છે. આ સિવાય હૂંફાળા પાણી સાથે લઈ શકાય છે. લસણ ઇમ્યુનિટીને વધારે છે.
આ રીતે કરો કેર
થાયમોલ, મેથોલ, કપૂરને બરાબર માત્રામાં ભેળવીને તૈયાર 'યુ વાયરલ' ના મિશ્રણના ટીંપાને જો રૂમાલ કે ટીસ્યુ પેપર પર નાંખીને લોકો સૂંઘે તો ભીડમાં માસ્ક પહેરીને જવાની કોઈ જરૂરત નથી પડતી.