આપણે સૌ આંબળા હેલ્થ માટે કેટલા સારા તે જાણીએ જ છીએ, આ એક એવુ ફળ છે કે જેનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. અત્યાર સુધી તમે આંબળાના ફાયદા વિષે સાંભળ્યુ હશે પરંતુ તમને ખબર છે આંબળાના નુકસાન પણ છે. આજે અમે તમને જણાવીશું કે આંબળાથી શું નુકસાન થાય છે.
આંબળાના ફાયદા અને નુકસાન બંને
લિવરને થઇ શકે છે નુસસાન
આંબળાનું જરૂર હોય તેટલુ જ સેવન કરવુ વધારે પડતુ સેવન ઘણુ નુકસાન પહોંચાડી શકે છે. આપણને સૌને ખબર છે કે કોઇ પણ વસ્તુનો અતિરેક સારો નથી હોતો. આંબળાનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. મુરબ્બો, અથાણુ કે જ્યુસ બનાવીને પણ તેનું સેવન કરી શકાય છે.
જો તમે કોઇ બિમારીથી પીડાવ છો તો આંબળા ખાતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.
લિવરને નુકસાન
જો તમે આંબળાની સાથે આદુ પણ ખાવ છો તો તેની સીધી અસર તમારા લીવર પર પડી શકે છે. આંબળા ખાવાથી તમારા લીવરમાં એસજીપીટીની માત્રા વધી જાય છે જે તમારા પાચનક્રિયાને પણ નબળુ કરી દે છે.
બ્લડપ્રેશર પર અસર
હાઇપર ટેન્શન અને કિડનીની સમસ્યાથી પિડાઇ રહેલા માણસોએ આંબળા ન ખાવા જોઇએ. તેમાં સોડિયમ હોવાથી શરીરમાં સોડિયમની માત્રા વધી જાય છે જેથી તમારી કિડની વ્યવસ્થિત રીતે કામ નથી કરી શકતી અને બ્લડપ્રેશર પર અસર થાય છે.
યુરિનમાં બળતરા
આંબળામાં વિટામિન સી હોય છે, જો તેને વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો યુરિનલ તકલીફો થઇ શકે છે. ઘણા લોકોને યુરિનમાં ખરાબ વાસ પણ આવવા લાગે છે. જેથી આંબળાનું સેવન માપમાં કરવું જોઇએ.
એસિડીટી વધારે છે
આંબળામાં પ્રાકૃતિકરૂપથી એસિડ હોય છે, જેથી તેને વધારે માત્રામાં ખાવામાં આવે તો પેટ સંબધિત સમસ્યાઓ થઇ શકે છે. ખાસકરીને ખાલી પેટ ખાવાથી એસિડીટી થવાની સંભાવનાઓ રહે છે.
કબજીયાત
આંબળામાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે, જો વધારે આંબળા ખાવામાં આવે તો પેટમાં તકલીફો વધે છે અને કબજીયાત થઇ જાય છે. માટે જો તમે વધારે આંબળા ખાઓ છો તો વધારે પાણી પીવાનું રાખો +.