આસ્થા સાથે જોડાયેલા લોકો ધાર્મિક સ્થળો પર પોતાનું શીશ નમાવતા હોય છે. પોતાની પ્રગતીની કામના કરે છે. આ તમામ ધાર્મિક સ્થળો પર તેમના ઈષ્ટ દેવની ઉપસ્થિતિ માનવામાં આવે છે. પરંતુ કેટલાક મંદિરો એવા પણ છે જ્યાં ફક્ત કોઈ દેવતાઓની જ નહીં પરંતુ શ્વાનની પણ પૂજા થાય છે. આ મંદિરોમાં શ્વાનની સમાધી કે કબ્ર બનેલી છે અને ભક્તો અઙીં પુરી શ્રદ્ધાથી પૂજા કરે છે.
બુલંદશહેરથી 15 કિમી. દૂર ઔધોગિક ક્ષેત્ર સિકંગરાબાદમાં લગભગ 100 વર્ષ જૂનુ એક મંદિર છે જ્યાં શ્વાનની કબરની પૂજા થાય છે. હોળી દિવાળી પર અહીં મેળો પણ લાગે છે. શ્રાવણ અને નવરાત્રીમાં ભંડારાનું પણ આયોજન થાય છે. આ મંદિર એક સાધુ લટૂરિયા બાબાના શ્વાનને સમર્પીત છે જેણે સાધુના પ્રાણ ત્યાગ્યા બાદ ત્યાંજ પોતાનો જીવ છોડ્યો હતો.
ગાજિયાબાદ પાસે સ્થિત ચિપિયાના ગામમાં ભૈરવબાબાનું મંદિર છે. અહીં બનેલી શ્વાનની સમાધી લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. શ્વાનની સમાધી પાસે એક હાવડી બનાવેલી છે સ્થાનિકના જણાવ્યા અનુસાર માન્યતા છે કે હાવડીમાં નહાવાથી શ્વાનના કરડવાની અસર સમાપ્ત થઈ જાય છે.
કર્ણાટકના ગામમા બનેલું છે શ્વાનનું મંદિર કર્ણાટકના રામનગર જિલ્લાના અતર્ગત આવનારા ગામ ચિન્નપટના ગામમાં શ્વાનનું મદિર બનેલું છે. સ્થાનીય લોકોનું માનવું છે કે શ્વાનમાં માલિકના પરિવારને વિપત્તિઓથી બચાવવાની શક્તિ હોય છે માટે આ મંદિરને પાલતુ જાનવરોને સમર્પિત કરવામાં આવ્યુ છે.